Bank Holiday in September : બેંકમાં જમા કરાવી રૂ 2000 નોટ ? સપ્ટેમ્બરમાં બેંકો 17 દિવસ બંધ રહેશે

|

Aug 29, 2023 | 11:54 AM

Bank Holiday in September : RBIએ 2000 રૂપિયાની નોટ જમા કરાવવા અથવા બદલવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર સુધી રાખી છે. આમાં કોઈ ફેરફાર થવાની કોઈ શક્યતા નથી. સપ્ટેમ્બરમાં બેંકો 17 દિવસ બંધ રહેશે. આવી સ્થિતિમાં જલ્દીથી 2000 રૂપિયાની નોટોથી છુટકારો મેળવો.

Bank Holiday in September : બેંકમાં જમા કરાવી રૂ 2000 નોટ ? સપ્ટેમ્બરમાં બેંકો 17 દિવસ બંધ રહેશે
Bank Holiday

Follow us on

શું તમારે 2000 રૂપિયાની નોટ જમા કરાવીની બાકી છે તો આ સમાચાર વાંચી લો, કારણ કે 30 સપ્ટેમ્બર પછી, 2,000 રૂપિયાની નોટ સંપૂર્ણપણે પ્રતિબંધિત થઈ જશે અને બેંકો (Bank Holiday )દ્વારા પણ સ્વીકારવામાં આવશે નહીં. જેના કારણે તમારું નુકસાન પણ થઈ શકે છે. અમે તમને શક્ય તેટલી વહેલી તકે થાપણો કરવા માટે પણ અપીલ કરી રહ્યા છીએ કારણ કે ઓગસ્ટના છેલ્લા દિવસોમાં તહેવારોને કારણે બેંક રજાઓની પ્રક્રિયા શરૂ થશે, જે સપ્ટેમ્બર સુધી ચાલુ રહેવાની છે. માત્ર સપ્ટેમ્બર મહિનામાં જ બેંકો માત્ર 13 દિવસ જ ખુલશે. દેશના વિવિધ વિસ્તારોમાં બેંકો 17 દિવસ સુધી બંધ રહી શકે છે. ચાલો તમને તે બેંક રજાઓની સૂચિ સાથે પણ પરિચય કરાવીએ.

આ પણ વાંચો :  Commodity Market Today : સોનું 60 હજાર નજીક પહોંચ્યું, કિંમતી ધાતુ બાબતે નિષ્ણાંત શું કહી રહ્યા છે?

આ તારીખ પર બેન્કો રહેશે બંધ

સપ્ટેમ્બર 3 – રવિવાર

આજનું રાશિફળ તારીખ : 18-04-2025
10 રૂપિયાની વસ્તુ વેચતી કંપની પાસેથી IPLમાં સૌથી વધુ કમાણી કરે છે BCCI
Tea Shelf Life : ચા કેટલા સમય પછી બગડી જાય ? નથી રહેતી પીવાલાયક
બોલીવુડનો એ જમાઈ, જેની સાસુની ઉંમર તેનાથી નાની છે, જુઓ તસવીર
Condom in Space : સ્પેસમાં કોન્ડોમ પહેરીને કેમ જાય છે અવકાશયાત્રીઓ ?
ફ્લાઈટમાં ટેકઓફ અને લેન્ડિંગ વખતે એર હોસ્ટેસ સીટ સીધી કરવાનુ કેમ કહે છે ?

6 સપ્ટેમ્બર – શ્રી કૃષ્ણ જન્માષ્ટમી

(ઓરિસ્સા,તમિલનાડુ,આંધ્રપ્રદેશ,બિહારમાં બેંકો બંધ રહેશે.)

સપ્ટેમ્બર 7 – જન્માષ્ટમી (શ્રવણ વડી-8) / શ્રી કૃષ્ણ અષ્ટમી

( ગુજરાત, મધ્યપ્રદેશ, ચંદીગઢ, સિક્કિમ, રાજસ્થાન, જમ્મુ, બિહાર, છત્તીસગઢ અને ઝારખંડ, મેઘાલય, હિમાચલ પ્રદેશ અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે.)

સપ્ટેમ્બર 8 – G-20 સમિટ

G20 સમિટને કારણે દિલ્હીમાં બેંકો બંધ રહેશે.

સપ્ટેમ્બર 09 – બીજો શનિવાર

દેશભરમાં બેંકો બંધ રહેશે.

10 સપ્ટેમ્બર – રવિવાર

દેશભરમાં બેંકો બંધ રહેશે.

સપ્ટેમ્બર 17 – રવિવાર

દેશભરમાં બેંકો બંધ રહેશે.

18 સપ્ટેમ્બર – વર્સિદ્ધિ વિનાયક વ્રત / વિનાયક ચતુર્થી

કર્ણાટક અને તેલંગાણામાં બેંકો બંધ રહેશે.

સપ્ટેમ્બર 19 – ગણેશ ચતુર્થી / સંવત્સરી (ચતુર્થી પક્ષ)

ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ અને ગોવામાં બેંકો બંધ રહેશે.

20 સપ્ટેમ્બર – ગણેશ ચતુર્થી (બીજો દિવસ)

ઓરિસ્સા અને ગોવામાં બેંકો બંધ રહેશે.

22 સપ્ટેમ્બર – શ્રી નારાયણ ગુરુ સમાધિ દિવસ

કેરળમાં બેંકો બંધ રહેશે.

23 સપ્ટેમ્બર – મહારાજા હરિ સિંહનો જન્મદિવસ અને બીજો શનિવાર

જમ્મુ-કાશ્મીરમાં બેંકો બંધ રહેશે.

સપ્ટેમ્બર 24 – રવિવાર

દેશભરમાં બેંકો બંધ રહેશે.

25 સપ્ટેમ્બર – શ્રીમંત સંકરદેવની જન્મજયંતિ

આસામમાં બેંકો બંધ રહેશે.

27 સપ્ટેમ્બર – મિલાદ-એ-શરીફ (પયગમ્બર મુહમ્મદનો જન્મદિવસ)

જમ્મુ અને કેરળમાં બેંકો બંધ રહેશે.

સપ્ટેમ્બર 28 – ઈદ-એ-મિલાદ / ઈદ-એ-મિલાદુન્નબી – (પયગમ્બર મોહમ્મદનો જન્મદિવસ)

ગુજરાત, મિઝોરમ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, ઉત્તરાખંડ, તેલંગાણા, મણિપુર, ઉત્તર પ્રદેશ, નવી દિલ્હી, છત્તીસગઢ અને ઝારખંડમાં બેંકો બંધ રહેશે.

29 સપ્ટેમ્બર – ઈદ-એ-મિલાદ-ઉલ-નબી પછી ઈન્દ્રજાત્રા/શુક્રવાર

સિક્કિમ અને જમ્મુ અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે.