જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડાએ તેની ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં એક ટકા સુધીનો વધારો કર્યો છે. બેંક દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં બેંકે કહ્યું હતું કે 50 કરોડથી વધુ અને 200 કરોડ રૂપિયાથી ઓછાના રિટેલ સેવિંગ એકાઉન્ટ પર પણ વ્યાજ દરમાં 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 10 વર્ષ અને તેથી વધુની ઘરેલું અને બિન-નિવાસી સામાન્ય (NRO) ફિક્સ્ડ ડિપોઝિટ પર હવે 6.10 ટકાના દરે વ્યાજ મળશે જે અગાઉ 5.10 ટકા હતું.
આ ઉપરાંત એકથી બે વર્ષ કરતા વધુ સમયની થાપણો પર હવે 6.10 ટકાના દરે વ્યાજ મળશે. આ દર પહેલા 5.50 ટકા હતો. આ સાથે બેથી ત્રણ વર્ષની FD પર વ્યાજ પણ 0.70 ટકા વધારીને 6.25 ટકા કરવામાં આવ્યું છે. બેંક અનુસાર વરિષ્ઠ નાગરિકોને દરેક શ્રેણી પર 0.50 ટકા વધુ વ્યાજ મળશે.
તમને જણાવી દઈએ કે બેંક ઓફ બરોડાએ રવિવારે હોમ લોન સસ્તી કરી દીધી હતી. ગ્રાહકોને તેમની લોન પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. હોમ લોનના દર પર 25 બેસિસ પોઈન્ટ્સનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે પરંતુ આ ડિસ્કાઉન્ટનો લાભ માત્ર અમુક પસંદગીના ગ્રાહકોને જ મળી રહ્યો છે. ડિસ્કાઉન્ટ પછી બેંક ઓફ બરોડાની હોમ લોન વાર્ષિક 8.25% થી શરૂ થઈ રહી છે. ઘટાડેલ હોમ લોન રેટ 14 નવેમ્બર, 2022 થી લાગુ થશે.
બેંક ઓફ બરોડા તરફથી આ એક ખાસ હોમ લોન ઓફર છે, જેમાં માત્ર અમુક પસંદગીના ગ્રાહકોને જ ડિસ્કાઉન્ટનો લાભ આપવામાં આવી રહ્યો છે. બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, જે ગ્રાહકો નવી હોમ લોન લઈ રહ્યા છે તેમને દર પર 25 બેસિસ પોઈન્ટ્સનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત, જે ગ્રાહકો તેમની હોમ લોન બેંક ઓફ બરોડામાં ટ્રાન્સફર કરશે તેમને પણ 25 બેસિસ પોઈન્ટ્સનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. બેંક ઓફ બરોડાએ અન્ય વધારાની સુવિધા હેઠળ હોમ લોનનો પ્રોસેસિંગ ચાર્જ માફ કર્યો છે.
આ નવી સુવિધામાં બેંક ઓફ બરોડાએ એક વાત સ્પષ્ટ કરી છે કે ગ્રાહકને કેટલી હોમ લોન મળશે, તે સંપૂર્ણપણે તેની ક્રેડિટ પ્રોફાઇલ પર નિર્ભર રહેશે.
જો તમે કોઈ અગત્યનું કામ પતાવવા માટે આગામી થોડા દિવસોમાં બેંક જવાનો પ્લાન બનાવ્યો હોય તો તમારે રજાઓની યાદી ચોક્કસ તપાસવી જોઈએ. બેંકોમાં રજાઓ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નક્કી કરે છે. કેન્દ્રીય બેંક દરેક કેલેન્ડર વર્ષ માટે રજાઓની યાદી તૈયાર કરે છે. અત્રે એ જાણવું જરૂરી છે કે નવેમ્બર 2022માં દેશભરમાં કેટલા દિવસ સુધી બેંકો બંધ રહેશે.
Published On - 7:27 am, Tue, 15 November 22