Balasore Train Accident: અસરગ્રસ્તોની મદદ માટે આગળ આવ્યુ Reliance Foundation, આ રીતે કરી રહ્યું છે મદદ

|

Jun 05, 2023 | 8:14 PM

Balasore Train Accident: RIL ફાઉન્ડેશનના સત્તાવાર હેન્ડલ ટ્વિટર પર જણાવ્યું હતું કે તે અસરગ્રસ્તોની સારવારમાં મદદ કરશે અને તેમની જીવનશૈલીને પુનર્જીવિત કરવામાં મદદ કરશે.

Balasore Train Accident: અસરગ્રસ્તોની મદદ માટે આગળ આવ્યુ Reliance Foundation, આ રીતે કરી રહ્યું છે મદદ
Balasore Train Accident: Reliance Foundation come forward to help the affected

Follow us on

Balasore Train Accident: ઓડિશામાં (Odisha) થયેલા ભયાનક ટ્રેન દુર્ઘટનાને કારણે આખો દેશ શોકમાં ડૂબી ગયો છે. એક પછી એક ત્રણ ટ્રેનો અથડાતા 275 લોકોના મોત થયા અને સેંકડો લોકો ઘાયલ થયા. આ 30 વર્ષ બાદ દેશની સૌથી મોટી અને ભયાનક ટ્રેન દુર્ઘટના છે.

કોલકાતાથી લગભગ 250 કિમી દક્ષિણે અને ભુવનેશ્વરથી 170 કિમી ઉત્તરમાં બાલાસોર જિલ્લાના બહનાગા બજાર સ્ટેશન નજીક શુક્રવારે સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો, જેના પછી રેલવે મંત્રાલયે તપાસનો આદેશ આપ્યો હતો. હવે અસરગ્રસ્તોને ટેકો આપવા માટે નીતા અંબાણીના રિલાયન્સ ફાઉન્ડેશને કહ્યું કે તે એવા પરિવારોને મદદ કરશે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

સારવારમાં મદદ કરશે રિલાયન્સ ફાઉન્ડેશન

RIL ફાઉન્ડેશનના સત્તાવાર હેન્ડલ ટ્વિટર પર જણાવ્યું હતું કે તે અસરગ્રસ્તોની સારવારમાં મદદ કરશે અને તેમની જીવનશૈલીને પુનર્જીવિત કરવામાં મદદ કરશે. ફાઉન્ડેશને તેના ટ્વિટર હેન્ડલ પર કહ્યું કે અમે આ દુઃખની ઘડીમાં પીડિતોની સાથે છીએ. અમે તેમના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.

અમે ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરીએ છીએ. ટ્વિટર હેન્ડલ પર રિલાયન્સ ફાઉન્ડેશને કહ્યું કે અમે આ દુર્ઘટનાનો ભોગ બનેલા તમામ અસરગ્રસ્તો સાથે ઊભા છીએ. રિલાયન્સ ફાઉન્ડેશન અસરગ્રસ્તોની સારવાર માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. આ સાથે તે તેમને ફરીથી સમાજમાં ઉભા કરવામાં પણ મદદ કરશે. બીજી તરફ રિલાયન્સ ફાઉન્ડેશનની ટીમો ફરજ પરના અધિકારીઓને મદદ કરવામાં તેમજ બચાવ કામગીરીમાં વ્યસ્ત લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત છે.

આ પણ વાંચો: ટ્રેન અકસ્માતો અટકાવનાર કવચનું કામ ક્યાં સુધી પહોંચ્યું ? શું છે આ કવચ ટેકનોલોજી ? જુઓ Video

અદાણી ગ્રુપ પણ કરી ચૂક્યુ છે જાહેરાત

દેશના બીજા સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીએ રવિવારે ટ્વીટ કર્યું કે અદાણી ફાઉન્ડેશન ટ્રેન દુર્ઘટનામાં પોતાના માતા-પિતા ગુમાવનારા બાળકોના શિક્ષણની વ્યવસ્થા કરશે. પોતાની પોસ્ટમાં તેમણે કહ્યું કે ઓડિશામાં થયેલી ટ્રેન દુર્ઘટના ખૂબ જ હેરાન કરનારી હતી. અદાણી ગ્રૂપે જણાવ્યું હતું કે પીડિત અને તેમના પરિવારોને ટેકો આપવા અને બાળકોને વધુ સારું ભવિષ્ય પ્રદાન કરવાની તેમની સંયુક્ત જવાબદારી છે.

તેમણે ટ્વીટ કર્યું કે ઓડિશા ટ્રેન દુર્ઘટનાએ બધાને પરેશાન કરી દીધા છે. અમે નક્કી કર્યું છે કે આ દુર્ઘટનામાં જે નિર્દોષ લોકોએ પોતાના માતા-પિતાને ગુમાવ્યા છે તેમના શાળાના શિક્ષણની કાળજી અદાણી ગ્રુપ લેશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article