આ કંપની મહારાષ્ટ્રમાં કરશે 5,000 કરોડનું રોકાણ, સરકાર સાથે MOU પર કર્યા હસ્તાક્ષર, 40 હજાર લોકોને મળશે રોજગારી

|

Jun 03, 2023 | 6:00 PM

Bajaj Finserv MOU Sign: નોન-બેંકિંગ ફાયનાન્સ કંપની પૂણેમાં રૂ.5,000 કરોડનું રોકાણ કરશે. જેના કારણે 40,000 નોકરીઓનું સર્જન થવાની આશા છે. તેનાથી અનેક લોકોને રોજગારી મળશે.

આ કંપની મહારાષ્ટ્રમાં કરશે 5,000 કરોડનું રોકાણ, સરકાર સાથે MOU પર કર્યા હસ્તાક્ષર, 40 હજાર લોકોને મળશે રોજગારી
bajaj finserv sign mou with maharashtra government 40000 people get job

Follow us on

Maharashtra: જો તમે ફિનટેક સેક્ટરમાં નોકરી શોધી રહ્યા છો, તો તમારા માટે ટૂંક સમયમાં નોકરીઓ આવી રહી છે કારણ કે બજાજ ફિનસર્વે (bajaj finserv) પૂણેમાં રૂ. 5,000 કરોડનું રોકાણ કરવાની યોજના તૈયાર કરી છે. જેના કારણે 40,000 લોકોને રોજગારી મળશે. આ માટે મહારાષ્ટ્ર સરકાર અને બજાજ ફિનસર્વ વચ્ચે કરાર કરવામાં આવ્યો છે. શનિવારે, 3 જૂન, 2023ના રોજ મુંબઈમાં મહારાષ્ટ્ર સરકાર અને બજાજ ફિનસર્વ વચ્ચે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

40,000 નોકરીઓનું સર્જન થવાની આશા

મુંબઈમાં એમઓયુ વિશે માહિતી આપતા મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે બજાજ ફિનસર્વ સાથે કરાર કર્યો છે અને એમઓયુ પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત નોન-બેંકિંગ ફાયનાન્સ કંપની પૂણેમાં રૂ.5,000 કરોડનું રોકાણ કરશે. જેના કારણે 40,000 નોકરીઓનું સર્જન થવાની આશા છે. તેનાથી અનેક લોકોને રોજગારી મળશે.

 આ પણ વાંચો: Maharashtra IAS Transfers: શિંદે-ફડણવીસ સરકારનો મોટો નિર્ણય, મહારાષ્ટ્રમાં 20 IAS અધિકારીઓની બદલી

આ સિવાય ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે પૂણે ધીમે ધીમે નાણાકીય સેવાઓનું કેન્દ્ર બની રહ્યું છે અને બજાજ ફિનસર્વ સંબંધિત નવા વિકાસથી ફિનટેક સેક્ટરને મોટું પ્રોત્સાહન મળશે. તાજેતરના સમયમાં ફિનટેક સેક્ટરમાં બજાજ ફિનસર્વનું આ સૌથી મોટું રોકાણ છે.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article