
સરકાર ખાનગી ક્ષેત્રની બેંક એક્સિસ બેંક માંથી બહાર નીકળવા જઈ રહી છે. આ માટે સરકારે સંપૂર્ણ આયોજન કર્યું છે. સરકાર બેંકમાં તેનો 1.55 ટકા હિસ્સો એટલે કે 4.65 કરોડ શેર વેચવાની યોજના ધરાવે છે. આ માહિતી શેરબજારને આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર હેઠળના યુનિટ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા (SUUTI)ની સ્પેસિફાઈડ અંડરટેકિંગ એક્સિસ બેન્કમાં 1.55 ટકા હિસ્સો વેચવાની યોજના ધરાવે છે. આ વેચાણ સાથે સરકાર આ ખાનગી ક્ષેત્રની બેંકમાંથી તેનો સંપૂર્ણ હિસ્સો પાછો ખેંચી લેશે. આ નિર્ણય સામે આવતાની સાથે જ ગુરુવારે એક્સિસ બેંકના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.
SUUTI પાસે સપ્ટેમ્બર 2022 સુધીમાં એક્સિસ બેંકમાં 1.55 ટકા હિસ્સો ધરાવતા 4,65,34,903 શેર હતા. વર્તમાન બજાર ભાવે શેરના વેચાણથી સરકારને આશરે રૂ. 4,000 કરોડ મળવાની અપેક્ષા છે. આ નિર્ણય બાદ ગુરુવારે સવારે શેરબજારમાં મોટી હલચલ જોવા મળી હતી અને એક્સિસ બેંકના શેર શરૂઆતના કારોબારમાં 3.3% તૂટ્યા હતા.
બુધવારે એક્સિસ બેન્કનો શેર BSE પર અગાઉના બંધ કરતાં 0.17 ટકા વધીને રૂ. 874.35 પર બંધ થયો હતો. ગયા વર્ષે મે મહિનામાં સરકારે SUUTI મારફત એક્સિસ બેન્કમાં તેનો 1.95 ટકા હિસ્સો આશરે રૂ. 4,000 કરોડમાં વેચ્યો હતો. આ પછી, સરકાર ફરીથી 1.55 ટકા હિસ્સો વેચવા જઈ રહી છે અને આ વેચાણ પણ 4,000 કરોડ રૂપિયાનું થશે. આ રીતે સરકાર એક્સિસ બેંકમાંથી સંપૂર્ણ રીતે બહાર નીકળવાની તૈયારી કરી રહી છે.
ગુરુવારે એક્સિસ બેન્કનો શેર BSE પર 3.34 ટકા ઘટીને રૂ. 845.15 પર બંધ થયો હતો. NSE પર તે 3.23 ટકા ઘટીને રૂ. 845.50 પર આવી ગયો છે. કેન્દ્ર સરકારની માલિકીની યુનિટ ટ્રસ્ટ ઑફ ઈન્ડિયા (SUUTI) એ બુધવારે એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તે એક્સિસ બેંકમાં 1.55 ટકા હિસ્સો ધરાવતા 4.65 કરોડ શેર વેચવાની યોજના ધરાવે છે. આ વેચાણ સાથે સરકાર આ ખાનગી ક્ષેત્રની બેંકમાંથી સંપૂર્ણ રીતે બહાર થઈ જશે.
સપ્ટેમ્બર 2022 સુધીમાં, SUUTI પાસે 4,65,34,903 શેર હતા જેમાં એક્સિસ બેન્કમાં 1.55 ટકા હિસ્સો હતો. વર્તમાન બજાર ભાવે શેરના વેચાણથી સરકારને આશરે રૂ. 4,000 કરોડ મળવાની અપેક્ષા છે. એક્સિસ બેંક ભારતની ત્રીજી સૌથી મોટી ખાનગી બેંક છે. આ બેંકના શેરે છેલ્લા એક મહિનામાં 10% થી વધુ વળતર આપ્યું છે. વર્ષ 2022માં અત્યાર સુધીમાં એક્સિસ બેંકના શેરમાં 20%નો વધારો જોવા મળ્યો છે. સરકારે તેની કમાણી માટે એક સંપૂર્ણ યોજના બનાવી છે, જેમાં આ પણ એક છે. સરકારી કંપનીઓને વેચવામાં આવશે અથવા સરકાર તેનો હિસ્સો ખાનગી કંપનીઓને વેચશે. સરકારનું ધ્યાન આમાંથી થતી કમાણી પર છે.