તમે સ્વાદિષ્ટ ભોજન તરીકે પરિવારજનોના ભાણામાં સ્વાસ્થ્યનું જોખમ તો નથી પીરસી રહ્યા ને? વાંચો વિગતવાર

|

Sep 12, 2021 | 2:34 PM

metanil yellow એક ફૂડ કલર છે જેનો ભારતમાં વ્યાપકપણે ઉપયોગ થાય છે. નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન અનુસાર, metanil yellow માનવ શરીર માટે ખતરનાક છે.

સમાચાર સાંભળો
તમે સ્વાદિષ્ટ ભોજન તરીકે પરિવારજનોના ભાણામાં સ્વાસ્થ્યનું જોખમ તો નથી પીરસી રહ્યા ને? વાંચો વિગતવાર
Symbolic Image

Follow us on

તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ઘરમાં તેલનો વપરાશ વધે છે પરંતુ તહેવારોમાં તેલમાં ભેળસેળની ફરિયાદો પણ વધે છે. અસલમાં ભેળસેળયુક્ત તેલનો રંગ પીળો બનાવવા માટે તેમાં ખતરનાક metanil yellow ઉમેરવામાં આવે છે જે આપણા સ્વાસ્થ્ય માટે જોખમી છે. તેથી જ આજે અમે તમને જણાવીએ છીએ કે બજારમાં મળતું તેલ અસલી છે કે નહીં તે કઈ રીતે જાણી શકાય?

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) એ તેલમાં ભેળસેળ સામે ટ્વિટર પર Detecting Food Adulterants નામનું અભિયાન શરૂ કર્યું છે. લાંબા સમય સુધી ભેળસેળયુક્ત તેલ ખાવું આપણા માટે જીવલેણ બની શકે છે. FSSAI આ અભિયાન અંતર્ગત લોકોને કહી રહ્યું છે કે કેવી રીતે ઘરે ભોજનમાં ભેળસેળનેકઈ રીતે તપાસવી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

 

આ વિડીયોમાં FSSAI એ કૂકિંગ ઓઇલમાં metanil yellow જેવા ખતરનાક રંગનો ઉપયોગ શોધવા માટે એક સરળ રીત સમજાવી છે. જાણો કે તમે ઘરેલુ તેલમાં ભેળસેળ કેવી રીતે ચકાસી શકો છો.

તેલમાં ભેળસેળ કેવી રીતે તપાસવી
1. સૌપ્રથમ એક ટેસ્ટ ટ્યુબમાં 1 મિલી તેલનું સેમ્પલ લો.
2. હવે તેમાં 4ml ડિસ્ટ્રીલ વોટર ઉમેરો અને ટેસ્ટ ટ્યુબને હલાવો.
3. આ મિક્સરનું 2ml બીજી ટેસ્ટ ટ્યુબમાં લો અને મિક્સરમાં 2l કન્સેન્ટ્રેટેડ HCL ઉમેરો.
4. હવે જો તમને ભેળસેળવાળા તેલના ઉપરના સ્તરમાં કોઈ રંગ પરિવર્તન ન દેખાય તો તેલ અસલી છે.
5. પરંતુ જો ભેળસેળયુક્ત તેલ હોય તો તેના ઉપરના સ્તર પર એસિડમાં રંગ બદલાય છે.

metanil yellowની આડઅસરો
metanil yellow એક ફૂડ કલર છે જેનો ભારતમાં વ્યાપકપણે ઉપયોગ થાય છે. નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન અનુસાર, metanil yellow માનવ શરીર માટે ખતરનાક છે. ખરેખર તે આપણા મગજની શીખવાની અને સમજવાની ક્ષમતા ઘટાડે છે. FSSAI એ ટ્વીટમાં કહ્યું છે કે HCL એસિડ ભેળસેળયુક્ત તેલના નમૂનામાંથી પ્રતિબંધિત રંગ નીકળે છે. metanil yellow અને એસિડ લેયરમાં રંગ બદલાય છે. જ્યારે શુદ્ધ તેલ રંગમાં કોઈ ફેરફાર બતાવતું નથી.

 

આ પણ વાંચો :  IPO પહેલા અનલિસ્ટેડ માર્કેટમાં શેરમાં રોકાણ કરવું લાભદાયક કે નુકસાનકારક? જાણો શું છે નિષ્ણાતનો અભિપ્રાય

 

આ પણ વાંચો :  કર્મચારીઓ માટે રાહતના સમાચાર : UAN ને Aadhaar સાથે લિંક કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી

Published On - 2:33 pm, Sun, 12 September 21

Next Article