Ambani and ED: અનિલ બાદ ટીના અંબાણી પણ EDની બાનમાં, મુંબઈ ઓફિસમાં પૂછપરછ ચાલુ

|

Jul 04, 2023 | 1:55 PM

Anil Ambani and ED: લાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીની પૂછપરછ કર્યા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ હવે તેમની પત્ની ટીના અંબાણીની પૂછપરછ કરી રહી છે. ટીના અંબાણી પૂછપરછ માટે EDની મુંબઈ ઓફિસ પહોંચી છે.

Ambani and ED: અનિલ બાદ ટીના અંબાણી પણ EDની બાનમાં, મુંબઈ ઓફિસમાં પૂછપરછ ચાલુ
Tina Ambani

Follow us on

દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અનિલ અંબાણીની પૂછપરછ કરી હતી અને હવે પુછતાછ આગળ વધીને તેમની પત્ની ટીના અંબાણી સુધી પણ પહોંચી ગયા છે. ટીના અંબાણીને ED દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે અને તે મંગળવારે સવારે EDની મુંબઈ ઓફિસ પહોંચી ગઈ છે. અહીં તેમની પૂછપરછ કરવાની છે.

રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીના સતારા હાલ ઝાંખા પડી ગયા છે. તેમના ગ્રુપની ઘણી કંપનીઓ નાદારીની આરે પહોંચી ગઈ છે. ઘણાને તેમને વેચવા માટે મજબૂર કરવામાં આવ્યા છે અને હવે આ કેસ EDનો છે…

આ પણ વાંચો : Share Market Today : શેરબજાર તેજી સાથે ખુલ્યું, Sensex 65500 ને પાર પહોંચ્યો

ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024

અનિલ અંબાણીની 9 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી

EDએ સોમવારે અનિલ અંબાણીની 9 કલાક સુધી પૂછપરછ કરી હતી. જ્યારે ટીના અંબાણી પૂછપરછ માટે સવારે 10 વાગ્યાથી ED ઓફિસમાં છે. વિદેશી હૂંડિયામણ સંબંધિત કાયદાના કથિત ઉલ્લંઘનના કેસમાં ઇડી અંબાણી દંપતીની પૂછપરછ કરી રહી છે. EDના અધિકારીઓનું કહેવું છે કે રિલાયન્સના ચેરમેન અનિલ ધીરુભાઈ અંબાણી વિરુદ્ધ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ની અનેક જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

814 કરોડની છેતરપિંડીનો મામલો

જે કેસમાં ED અંબાણી દંપતીની પૂછપરછ કરી રહી છે તે 814 કરોડ રૂપિયાની ઉચાપત સાથે સંબંધિત છે. અધિકારીઓનું કહેવું છે કે આ ગરબડ બે સ્વિસ બેંક ખાતા દ્વારા કરવામાં આવી હતી. આ વર્ષે અંબાણી પરિવારને આ મામલે હાઈકોર્ટમાંથી રાહત મળી છે. ગયા વર્ષે ઓગસ્ટમાં, આવકવેરા વિભાગે બે સ્વિસ બેંક ખાતાઓમાં 814 કરોડ રૂપિયાથી વધુની અઘોષિત રકમ શોધી કાઢી હતી. જેમાં 420 કરોડની કથિત કરચોરી મળી આવી હતી. આ સંબંધમાં આવકવેરા વિભાગે અનિલ અંબાણીને નોટિસ પાઠવી હતી. બાદમાં બોમ્બે હાઈકોર્ટે અંબાણી પરિવારને વચગાળાની રાહત આપી હતી.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article