Adani Transmission Q4 Results: અદાણી ટ્રાન્સમિશનએ પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા, કંપનીએ 433 કરોડનો નફો નોંધાવ્યો

|

Aug 06, 2021 | 7:10 AM

કંપનીએ નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે 30 જૂન 2020 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં તેનો નેટ પ્રોફિટ રૂ 355.40 કરોડ હતો. આ સમયગાળા દરમિયાન કંપનીની કુલ આવક વધીને રૂ 2,935.72 કરોડ થઈ છે જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ 2,542.84 કરોડ હતી .

સમાચાર સાંભળો
Adani Transmission Q4 Results: અદાણી ટ્રાન્સમિશનએ પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા, કંપનીએ 433 કરોડનો નફો નોંધાવ્યો
Gautam Adani (chairman and founder of the Adani Group)

Follow us on

ઉદ્યોગપતિ ગૌતમ અદાણી(Gautam Adani)ની આગેવાની હેઠળના અદાણી ગ્રુપ(Adani Group)ની કંપની અદાણી ટ્રાન્સમિશન (Adani Transmission) એ તેના જૂન ક્વાર્ટરના પરિણામો ગુરુવારે જાહેર કર્યા છે. સારી કમાણીને કારણે ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કંપનીનો નેટ પ્રોફિટ લગભગ 22 ટકા વધીને 433.24 કરોડ રૂપિયા થયો છે.

કંપનીએ નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે 30 જૂન 2020 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં તેનો નેટ પ્રોફિટ રૂ 355.40 કરોડ હતો. આ સમયગાળા દરમિયાન કંપનીની કુલ આવક વધીને રૂ 2,935.72 કરોડ થઈ છે જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ 2,542.84 કરોડ હતી . ક્વાર્ટર દરમિયાન કંપનીનું વિતરણ નુકસાન જૂન 2021 ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં 6.88 ટકા હતું જે અગાઉના સમયગાળામાં 13.47 ટકા હતું.

પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં અદાણી ગ્રુપ પ્રવેશ કરશે
તાજેતરમાં અદાણી ગ્રુપે નવી પેટાકંપનીની રચના કરી છે જે રિફાઇનરીઓ, પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ અને હાઇડ્રોજન પ્લાન્ટ્સ સ્થાપશે. અદાણી ગ્રુપની અગ્રણી કંપની અદાણી એન્ટરપ્રાઇઝ્સે સ્ટોક એક્સચેન્જની માહિતીમાં જણાવ્યું હતું કે તેણે અદાણી પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (APL) ને સંપૂર્ણ માલિકીની પેટાકંપની તરીકે સામેલ કરી છે, જે રિફાઇનરીઓ, પેટ્રોકેમિકલ સંકુલ, વિશેષ રાસાયણિક એકમો, હાઇડ્રોજન અને સંબંધિત કેમિકલ પ્લાન્ટની સ્થાપનાનું કામ કરશે

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

તાજેતરમાં અદાણી ગ્રુપે મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની જવાબદારી સંભાળી છે
તાજેતરમાં અદાણી ગ્રુપે જીવીકે ગ્રુપ પાસેથી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું સંચાલન સંભાળ્યું છે. ગ્રુપએ ગયા વર્ષે ઓગસ્ટમાં જાહેરાત કરી હતી કે તે મુંબઈ એરપોર્ટમાં જીવીકે ગ્રુપનો હિસ્સો હસ્તગત કરશે. આ સોદા બાદ અદાણી ગ્રુપ મુંબઈના છત્રપીત શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં 74 ટકા હિસ્સો ધરાવશે. આમાંથી 50.5 ટકા જીવીકે ગ્રુપ પાસેથી અને બાકીના 23.5 ટકા લઘુમતી ભાગીદારો એરપોર્ટ્સ કંપની સાઉથ આફ્રિકા (એસીએસએ) અને બિડવેસ્ટ ગ્રુપ પાસેથી હસ્તગત કરવામાં આવશે.

 

આ પણ વાંચો :  હવે વિદેશ જતા વિદ્યાર્થીઓને Quarantine ખર્ચની ચિંતા નહિ રહે, વેક્સીન કિંગ Adar Poonawalla કરશે મદદ , જાણો કઈ રીતે મળશે લાભ

 

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : આજે સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ – ડીઝલના નવા રેટ જાહેર કર્યા. જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ

 

Next Article