Budget 2023: સૌને મળશે ઘરનું ઘર, PM આવાસ યોજના હેઠળ 79 હજાર કરોડથી વધુની ફાળવણી

|

Feb 01, 2023 | 3:41 PM

નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણ દરમિયાન દેશના લોકોને પરવડે તેવા મકાનો આપવા માટે મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પીએમ આવાસ યોજના માટે બજેટની ફાળવણી અગાઉની સરખામણીમાં 66 ટકા વધી છે. હવે આ બજેટને વધારીને 79,000 કરોડ રૂપિયાથી વધુ કરવામાં આવ્યું છે.

Budget 2023: સૌને મળશે ઘરનું ઘર, PM આવાસ યોજના હેઠળ 79 હજાર કરોડથી વધુની ફાળવણી

Follow us on

નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણ દરમિયાન દેશના લોકોને પરવડે તેવા મકાનો આપવા માટે મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પીએમ આવાસ યોજના માટે બજેટની ફાળવણી અગાઉની સરખામણીમાં 66 ટકા વધી છે. આ પછી હવે આ બજેટને વધારીને 79,000 કરોડ રૂપિયાથી વધુ કરવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે નાણાકીય વર્ષ 2022-23માં નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) માટે 48,000 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઉદ્દેશ્ય દેશના તમામ લોકોને પોતાનું ઘર આપવાનો છે. આ યોજના હેઠળ, સરકાર એવા લોકોને ઘર બનાવવા માટે પૈસા આપે છે, આ યોજના હેઠળ સરકાર એવા લોકોને પૈસા આપે છે જેમની પાસે ઘર બનાવવા માટે કાયમી મકાન નથી.

યોજનાનો લાભ લેવા માટે આ માપદંડો

ગરીબોને છત આપવાનો ધ્યેય પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ, ભારત સરકાર અને રાજ્ય સરકાર તરફથી દર નાણાકીય વર્ષમાં અલગ-અલગ લક્ષ્યાંકો ફાળવવામાં આવે છે. પાત્રતાની વાત કરીએ તો, આ યોજના હેઠળ ગરીબ પરિવારોને મકાનો ફાળવવામાં આવે છે. જેમાં એવા લોકોને મકાનો આપવામાં આવે છે, જેમની પાસે કાયમી મકાન નથી.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

અત્યાર સુધીમાં કેટલાને મળ્યા આવાસ?

અત્યાર સુધી દેશમાં લાખો લોકોએ આ યોજનાનો લાભ લીધો છે. આ યોજના હેઠળ પહાડી વિસ્તારના લાભાર્થીઓને એક લાખ 20 હજાર રૂપિયા અને મેદાની વિસ્તારોમાં મકાન બનાવવા માટે એક લાખ 30 હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે. સરકાર દ્વારા બજેટમાં હંમેશા આ યોજનાને પ્રાથમિકતા પર રાખવામાં આવે છે અને આ વખતે પણ એક મોટું પગલું લઈને તેના બજેટમાં વધારો કરવામાં આવ્યો છે.

જો આપણે પીએમ આવાસ યોજના વિશે વાત કરીએ, તો આ યોજનાના લાભાર્થીઓ અને યોજનામાં જોડાયેલા નવા લોકોને આશા હતી કે સરકાર આ આવાસ યોજનામાં થોડો ફેરફાર કરશે. આવી સ્થિતિમાં, સરકારે આ યોજના સાથે જોડાયેલા લોકોને નિરાશ કર્યા નથી અને 2023-24ના બજેટ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકોને પરવડે તેવા મકાનો આપવાની મોટી જાહેરાત કરતા કહ્યું કે, 66 ટકાનો વધારો થયો છે. એટલા માટે હવે તેનું ફંડ વધારીને 79 હજાર કરોડ રૂપિયાથી વધુ કરવામાં આવ્યું છે.

 દેશમાં 17.73 લાખ લોકો બેઘર

એક તરફ સરકાર ગરીબોને યોજનાઓ હેઠળ ઘર આપવાનો દાવો કરી રહી છે તો બીજી તરફ તેની પાસે બેઘર લોકોના તાજેતરના આંકડા નથી. 2011ની વસ્તી ગણતરીને ટાંકીને, રાજ્યસભામાં કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોએ જણાવ્યું કે દેશમાં લગભગ 17.73 લાખ લોકો બેઘર છે.

Next Article