Bhakti: પ્રબોધિની એકાદશીએ કયા મંત્ર સાથે જગાડશો શ્રીવિષ્ણુને ? જાણો એકાદશી પૂજનની ફળદાયી વિધિ

|

Nov 02, 2022 | 6:34 AM

પ્રબોધિની એકાદશીએ (Prabodhini Ekadashi ) એક ખાસ મંત્રનું ઉચ્ચારણ કરીને શ્રીહરિ વિષ્ણુને નિંદ્રામાંથી જગાડવામાં આવે છે. આ સમયે 11 દીવા દેવી-દેવતાઓના રૂપમાં પ્રજવલિત કરવામાં આવે છે. અને પ્રભુના આગમનને વધાવવામાં આવે છે.

Bhakti: પ્રબોધિની એકાદશીએ કયા મંત્ર સાથે જગાડશો શ્રીવિષ્ણુને ? જાણો એકાદશી પૂજનની ફળદાયી વિધિ
Lord Vishnu (symbolic image)

Follow us on

હિન્દુ પંચાંગ અનુસાર કારતક માસની સુદ પક્ષની એકાદશીને દેવઊઠી એકાદશી તરીકે ઉજવવામાં આવે છે. આ એકાદશીને દેવોત્થાન એકાદશી તેમજ પ્રબોધિની એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. આ એકાદશીએ શ્રીહરિ વિષ્ણુની પૂજા-આરાધના કરવામાં આવે છે. એવી માન્યતા છે કે દેવઊઠી એકાદશીએ ભગવાન વિષ્ણુ નિંદ્રામાંથી જાગે છે ! ભગવાન ક્ષીર સાગરમાં 4 મહિના સૂતા હોવાથી આ સમય દરમ્યાન કોઇપણ માંગલિક કાર્યો કરવામાં નથી આવતા. દેવઊઠી એકાદશીએ પ્રભુ જાગે છે અને તે પછી જ શુભ અને માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે. આ વખતે આ એકાદશી 4 નવેમ્બર, શુક્રવારના રોજ છે. ત્યારે આવો, આજે આપણે એ જાણીએ કે દેવઊઠી એકાદશીએ ઘરે કઈ વિધિ સાથે શ્રીહરિને નિંદ્રામાંથી જગાડવા જોઈએ !

વ્રતની પૂજાવિધિ 

⦁ એકાદશીએ બ્રહ્મમૂહુર્તમાં ઊઠીને સ્નાનાદિકાર્યથી નિવૃત થઇને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા અને વ્રતનો સંકલ્પ લેવો.

ગર્ભપાત પછી કેટલા દિવસ આરામ કરવો જોઈએ?
એક IPL મેચમાંથી અમ્પાયરો કેટલી કમાણી કરે છે?
Watermelon Seeds : તરબૂચ ખાતા સમયે ભૂલથી બીજ ગળી જાઓ તો શું થાય ? જાણો
Jioનો સૌથી સસ્તો મંથલી પ્લાન ! અનલિમિટેડ કોલ્સ, ડેટા અને SMSના લાભ
તમારી આ 5 ભૂલો તમારા ચશ્માને પહોંચાડી શકે છે નુકસાન, આજે જ સુધારી લો
No Oil Diet : તેલ ખાવાનું બંધ કરી દો તો શરીર પર શું અસર થાય ? જાણી લો

⦁ સૂર્યનારાયણને જળથી અર્ઘ્ય અર્પણ કરો.

⦁ ત્યારબાદ ભગવાન વિષ્ણુની પૂજા-આરાધના કરવી.

⦁ પૂજામાં ફળ, પુષ્પ, ધૂપ, દીપ, કપૂર, નૈવેદ્ય તેમજ પીળા રંગની મીઠાઇ અર્પણ કરવી.

⦁ આરતી કરીને પરિવારના સભ્યોની શુભતાની કામના કરીને આશીર્વાદ લેવા.

⦁ દિવસભર ઉપવાસ કરવો.

⦁ સાંજે આરતી કર્યા બાદ ફળ આરોગવા.

⦁ શક્ય હોય તો દિવસમાં એક જ વખત ફળ અને જળ ગ્રહણ કરવું.

⦁ બ્રાહ્મણોને દાન અવશ્ય આપવું.

શ્રીહરિ વિષ્ણુને કેવી રીતે જગાડશો ? 

⦁ એકાદશીની રાત્રીએ શુભ મુહૂર્તમાં શ્રીહરિની પૂજા કરવી.

⦁ આંગણાંમાં ગેરુ અને ચૂનાથી રંગોળી બનાવવી. તેના પર શેરડીના સાંઠાનો મંડપ બનાવવો.

⦁ મંડપ નીચે બાજોઠ મૂકી તેના પર ભગવાન વિષ્ણુના શાલીગ્રામ સ્વરૂપની સ્થાપના કરવી અને આસ્થા સાથે તેમની પૂજા કરવી.

⦁ શાલીગ્રામજીને નવા વસ્ત્ર અને જનોઇ અર્પણ કરવા. ત્યારબાદ નીચે જણાવેલ મંત્રનો જાપ કરવો.

ઉત્તિષ્ઠ ગોવિંદ ત્યજ નિદ્રાં જગત્પતયે ।

ત્વયિ સુપ્તે જગન્નાથ જગત્ સુપ્તં ભવેદિદમ્ ।।

⦁ ઉપરોક્ત મંત્રનું ઉચ્ચ સ્વરમાં ઉચ્ચારણ કરીને શ્રીહરિ વિષ્ણુને નિંદ્રામાંથી જગાડવામાં આવે છે. આ સમયે 11 દીવા દેવી-દેવતાઓના રૂપમાં પ્રજવલિત કરવામાં આવે છે. અને પ્રભુના આગમનને વધાવવામાં આવે છે.

શું રાખશો ધ્યાન ?

એકાદશી દરમ્યાન તામસિક ભોજન વર્જિત ગણાય છે. આમ તો એકાદશીમાં તો ઉપવાસ જ કરવાનો હોય છે. પરંતુ, આ ઉપવાસનો પ્રારંભ દશમની સાંજથી જ કરી દેવાનો હોય છે. એટલે દશમના રોજ ભોજનમાં લસણ-ડુંગળી જેવી તામસિક વસ્તુઓનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. અને સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Published On - 6:32 am, Wed, 2 November 22