વામાંગી હોવા છતાં કેટલાક કાર્યોમાં પતિની જમણી બાજુ કેમ બેસે છે સ્ત્રી? જાણો શું કહે છે શાસ્ત્રો

|

Apr 10, 2022 | 2:46 PM

હિંદુ શાસ્ત્રોમાં પત્નીને વામંગી કહેવામાં આવી છે, આ કારણથી કહેવાય છે કે પત્નીએ પતિની ડાબી બાજુએ બેઠેલી હોવી જોઈએ. પરંતુ દરેક કામમાં પત્નીનું સ્થાન ડાબી બાજુ નથી હોતું. ઘણા શુભ કાર્યો (Auspicious Works) માં પત્ની પતિની જમણી બાજુ બેસે છે. આવું કેમ કરવામાં આવે છે, તેના વિશે અહીં જાણો.

વામાંગી હોવા છતાં કેટલાક કાર્યોમાં પતિની જમણી બાજુ કેમ બેસે છે સ્ત્રી? જાણો શું કહે છે શાસ્ત્રો
Hindu scriptures (symbolic image )

Follow us on

મહાદેવ (Mahadev)ના અર્ધનારેશ્વરના રૂપમાં તેમના શરીરની ડાબી બાજુથી સ્ત્રીનોને ઉત્પન્નથતી દર્શાવવી છે. આ કારણથી પત્નીને વામાંગી કહેવામાં આવે છે. વામંગી એટલે કે જે પુરુષ શરીરનો ડાબો ભાગ છે. તમામ શુભ કાર્યો (Auspicious Works)માં પત્નીને પતિની ડાબી બાજુ બેસાડવામાં આવે છે, પરંતુ કેટલાક કાર્યોમાં તે જમણી બાજુ બેસે છે. આવી સ્થિતિમાં મનમાં આ પ્રશ્ન અવશ્ય આવે છે કે વામાંગી હોવા છતાં દરેક કામમાં પત્નીને પતિની જમણી બાજુએ કેમ બેસાડવામાં આવે છે? પત્ની માટે ક્યારે પતિની જમણી બાજુ બેસવું અને ક્યારે ડાબી બાજુ બેસવું તે શાસ્ત્રોક્ત છે, તેના વિશે અહીં જાણો.

આ કાર્યોમાં પત્ની જમણી બાજુ બેસે છે

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કન્યાદાન, લગ્ન, યજ્ઞકર્મ, જાતકર્મ, નામકરણ અને અન્નપ્રાશન વખતે પત્નીએ પતિની જમણી બાજુએ બેસવું જોઈએ. તેનું કારણ એ છે કે આ બધા કામો પારલૌકિક ગણાય છે અને તેને પુરુષપ્રધાન માનવામાં આવે છે, તેથી પત્નીને જમણી બાજુએ બેસાડવાનું કહેવામાં આવ્યું છે. આ સિવાય પત્નીએ સૂતી વખતે, સભામાં, સિંદૂર દાનમાં, દ્વિરાગણ, આશીર્વાદ મેળવતી વખતે અને ભોજન સમયે પતિની ડાબી બાજુ બેસી જવું જોઈએ, કારણ કે આ ક્રિયાઓ સાંસારિક છે. સાંસારિક કાર્યો સ્ત્રીલક્ષી માનવામાં આવે છે, જેમાં પત્નીએ પતિની ડાબી બાજુએ બેસવું જોઈએ.

પત્નીને અર્ધાંગિની કેમ કહેવામાં આવે છે

પત્નીને અર્ધાંગિની તરીકે પણ સંબોધવામાં આવે છે. આવુ એટલા માટે કહેવામાં આવે છે કે લગ્ન પછી પત્ની તેના પતિનું જીવન પોતાની સાથે શેયર કરે છે. તેના સુખ અને દુ:ખ બંનેનેમાં ભાગ પડાવે છે, તેના જીવનના દરેક સંજોગોનો એક ભાગ બની જાય છે. જીવનસાથી બનીને તે પોતાના પતિની જવાબદારીઓમાં ભાગીદાર બને છે અને તેને પૂરી નિષ્ઠાથી પૂરી કરે છે. પત્ની વિના પતિનું જીવન અધૂરું છે. તેથી જ આપણા શાસ્ત્રોમાં તેને અર્ધાંગિની કહેવામાં આવે છે.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

ભીષ્મ પિતામહે પોતાની પત્ની વિશે આ જ્ઞાન આપ્યું હતું

મહાભારત કાળમાં ભીષ્મ પિતામહે પત્ની વિશે ઘણી મહત્વપૂર્ણ વાતો કહી છે. પિતામહે પત્ની ઘરની લક્ષ્મી કહી છે. તેને વંશ વધારનારી કહેવામાં આવી છે. પત્નીને હંમેશા આદર આપવો જોઈએ અને તેને ખુશ રાખવી જોઈએ. જે ઘરમાં લક્ષ્મી પ્રસન્ન થાય છે ત્યાં હંમેશા ખુશીઓ આવે છે.

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)

આ પણ વાંચો :Mumbai Indians IPL 2022: ટૂર્નામેન્ટની 5 વારની વિજેતા સિઝનમાં પ્રથમ જીત માટે 5 મી મેચની રાહ જોવા મજબૂર, આ કારણો થી સ્થિતી કંગાળ

આ પણ વાંચો :Ram Navami 2022: રામનવમીના દિવસે જરૂર કરો આ પ્રસિદ્ધ રામમંદિરના દર્શન

Next Article