જાણો શાસ્ત્રોક્ત કારણ શા માટે આપણને આપણો પૂર્વ જન્મ શા માટે યાદ નથી રહેતો ? જુઓ VIDEO

|

Mar 18, 2023 | 2:19 PM

દરેકને મનમાં હંમેશા એ સવાલ થતો હશે કે આપણને આપણો પૂર્વ જન્મ શા માટે નથી યાદ રહેતો,આજે અમે જણાવશું કે વૈજ્ઞાનિકો અને આપણા શાસ્ત્રો આ વિશે શું કહે છે.

મનુષ્યનું મન ભૂલવા માટે બનાવવામાં આવ્યું છે. આપણે બધા સમય સાથે બધું ભૂલી જઈએ છીએ. આવી અનેક ઘટનાઓ આપણા જીવનમાં બને છે. જેને આપણે ભૂલીને નવી શરૂઆત કરીએ છીએ. તેવી જ રીતે, વ્યક્તિના પૂર્વ જન્મની કોઈ બાબત ધ્યાનમાં આવતી નથી.આત્માના કાર્યો વ્યક્તિને તેના પૂર્વજન્મ તરફ ખેંચે છે. તેથી સારું જીવન જીવવા માટે પૂર્વ જન્મના સારા કર્મ.

આ બાબતને લઇને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે કુંતિનંદન તારા અને મારા કેટલાય અવતાર આવી ચુક્યા છે પરંતુ આમાં ફર્ક એ છે મને મારા પૂર્વ જન્મ યાદ છે, અને તને એ યાદ નથી.

वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि ।
तथा शरीराणि विहाय जीर्णा- न्यन्यानि संयाति नवानि देही ॥

અર્થ- જેવી રીતે શરીર વસ્ત્રો ત્યાગે છે એવી જ રીતે આત્મા શરીર ત્યાગે છે,અને ફરી બીજુ શરીર મેળવે છે.

આપણુ શરીર પંચત્તવોનું બનેલુ છે. જે આપણા મૃત્યુ પછી પંચતત્વોમાં વિલીન થઇ જાય છે, રહે છે માત્ર આત્મા. જો આપણેને આપણા પૂર્વ જન્મ યાદ રહેવા લાગે તો માણસ વર્તમાન જીવન જીવવું અઘરૂ બની જાય આ કારણથી આપણને આપણા કર્મો યાદ ન રહે એ જ યોગ્ય છે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે પાછલા જન્મની વસ્તુઓ યાદ ન રાખવા પાછળનું કારણ એક રસાયણ છે. જેનું નામ ઓક્સીટોસિન છે. આ રસાયણો માત્ર ગર્ભાવસ્થા દરમિયાન માતાના ગર્ભાશયમાંથી મુક્ત થાય છે. જો આ રસાયણ માતાના ગર્ભમાં રહે છે, તો તેણીને તેના પાછલા જન્મની દરેક વસ્તુ યાદ રહે છે.

પાછલા જન્મમાં ન રહેવું, આજ કારણથી હિંદુ ધર્મમાં વાળ કરવામાં આવે છે. મૃતદેહને પ્રજ્વલિત કર્યાના લગભગ અડધા કલાક પછી, વાંસમાં લોટા બાંધીને મૃતદેહના માથા પર ઘી રેડવામાં આવે છે. જેના કારણે આખું માથું બળી જાય છે. એવું માનવામાં આવે છે કે જો આમ ન થાય તો આગલા જન્મમાં પાછલા જન્મનું બધું જ યાદ આવી જાય છે.

Published On - 2:04 pm, Sat, 18 March 23

Next Video