13 JUNE PANCHANG: આજે કઈ તિથિ અને રાશિ? 13 જૂન, મંગળવારના પંચાગની મેળવો સંપૂર્ણ જાણકારી!

હિન્દુ માન્યતા અને પંચાંગ અનુસાર રાહુકાળ (rahu kaal) તે એ કાળ છે કે જે સમય દરમિયાન કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં નથી આવતું. માન્યતા અનુસાર આ રાહુકાળ દરમિયાન કરેલું કાર્ય શુભ પરિણામ પણ નથી આપતું.

13 JUNE PANCHANG: આજે કઈ તિથિ અને રાશિ? 13 જૂન, મંગળવારના પંચાગની મેળવો સંપૂર્ણ જાણકારી!
| Edited By: | Updated on: Jun 13, 2023 | 12:05 AM

આજે 13 જૂન, 2023 મંગળવારનો દિવસ છે. પણ, હિન્દુ સંસ્કૃતિમાં તિથિ, વાર, નક્ષત્ર જોઈને કાર્ય કરવાની પ્રણાલી રહી છે. જેની માહિતી આપણને પંચાંગના માધ્યમથી પ્રાપ્ત થતી હોય છે. સનાતન ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે. અને કયા સમયે કાર્ય કરવાથી બચવું જોઈએ. ત્યારે આ પંચાંગ પરથી જ જાણીએ કે તિથિના આધારે આજના દિવસનું શું મહત્વ છે !

ગુજરાતી પંચાંગ

તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ એ દૈનિક પંચાંગના મુખ્ય પાંચ અંગ મનાય છે. ત્યારે તે અનુસાર જ આજના દિવસની વિગતો મેળવીએ.

તિથિ:- ગુજરાતી પંચાંગ અનુસાર આજે વિ. સં. 2079ની જેઠ માસના કૃષ્ણ પક્ષની દશમી તિથિ છે. જે સવારે 09:30 સુધી રહેશે. ત્યારબાદ એકાદશી તિથિનો પ્રારંભ થશે.

વાર:- મંગળવાર

યોગ:- શોભન

કરણ:- બવ

નક્ષત્ર:- રેવતી

સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય

સૂર્યોદય:- 05:55 કલાકે

સૂર્યાસ્ત:- 07:24 કલાકે

આજની રાશિ

આજની ચંદ્ર રાશિ છે મીન રાશિ. મિન રાશિના નામાક્ષર છે (દ, ચ, ઝ, થ). મીન રાશિ બપોરે 1:33 સુધી રહેશે. ત્યારબાદ ચંદ્રનું રાશિ પરિવર્તન થશે. અને બપોરે 1:33 પછી પછી ચંદ્ર મેષ રાશિમાં પ્રવેશ કરશે. મેષ રાશિના નામાક્ષર છે (અ, લ, ઇ). એટલે કે આજે બપોરે 1:33 પછી જન્મેલા બાળકોના નામ આપ મેષ રાશિ પરથી રાખી શકશો.

અભિજીત મુહૂર્ત

કોઈપણ કાર્ય કરવા માટે અભિજીત મુહૂર્ત એ અત્યંત શ્રેષ્ઠ મુહૂર્ત મનાય છે. આજે 13 જૂન, મંગળવારના રોજનું અભિજીત મુહૂર્ત બપોરે 12:13 થી 01:07 સુધી પ્રાપ્ત થઈ રહ્યું છે. 54 મિનિટનું આ અભિજીત મુહૂર્ત અત્યંત ફળદાયી મનાય છે. માન્યતા અનુસાર આ અભિજીત મુહૂર્તમાં કરવામાં આવનાર કાર્યમાં જરૂરથી સફળતા મળે છે.

રાહુ કાળ

હિન્દુ માન્યતા અને પંચાંગ અનુસાર રાહુકાળ તે એ કાળ છે કે જે સમય દરમિયાન કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં નથી આવતું. માન્યતા અનુસાર આ રાહુકાળ દરમિયાન કરેલું કાર્ય શુભ પરિણામ પણ નથી આપતું. આજે રાહુ કાળ બપોરે 03:50 થી 05:34 સુધી રહેશે. એટલે આ સમય દરમિયાન કોઈપણ શુભ કે માંગલિક કાર્ય કરવાનું ટાળવું જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)