
આજે 15 જૂન, 2023 ગુરૂવારનો દિવસ છે. પણ, હિન્દુ સંસ્કૃતિમાં તિથિ, વાર, નક્ષત્ર જોઈને કાર્ય કરવાની પ્રણાલી રહી છે. જેની માહિતી આપણને પંચાંગના માધ્યમથી પ્રાપ્ત થતી હોય છે. સનાતન ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે. અને કયા સમયે કાર્ય કરવાથી બચવું જોઈએ. ત્યારે આ પંચાંગ પરથી જ જાણીએ કે તિથિના આધારે આજના દિવસનું શું મહત્વ છે !
ગુજરાતી પંચાંગ
તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ એ દૈનિક પંચાંગના મુખ્ય પાંચ અંગ મનાય છે. ત્યારે તે અનુસાર જ આજના દિવસની વિગતો મેળવીએ.
તિથિ:- ગુજરાતી પંચાંગ અનુસાર આજે વિ. સં. 2079ની જેઠ માસના કૃષ્ણ પક્ષની બારમી તિથિ છે. જે સવારે 08:32 સુધી રહેશે. ત્યારબાદ તેરસ તિથિનો પ્રારંભ થશે.
વાર:- ગુરૂવાર
યોગ:- સુકર્મા
કરણ:- તૈતિલ
નક્ષત્ર:- ભરણી
સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય
સૂર્યોદય:- 05:23 કલાકે
સૂર્યાસ્ત:- 07:20 કલાકે
આજની ચંદ્ર રાશિ છે મેષ રાશિ, મેષ રાશિના નામાક્ષર છે (અ,લ,ઇ). મેષ રાશિ બપોરે 8:23 PM સુધી રહેશે. ત્યારબાદ ચંદ્રનું રાશિ પરિવર્તન થશે. અને પછી ચંદ્ર વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. વૃષભ રાશિના નામાક્ષર છે (બ,વ, ઉ). એટલે કે આજે 8:23 PM પછી જન્મેલા બાળકોના નામ આપ વૃષભ રાશિ પરથી રાખી શકશો.
કોઈપણ કાર્ય કરવા માટે અભિજીત મુહૂર્ત એ અત્યંત શ્રેષ્ઠ મુહૂર્ત મનાય છે. આજે 14 જૂન, ગુરૂવારના રોજનું અભિજીત મુહૂર્ત બપોરે 11:54 થી 12:50 સુધી પ્રાપ્ત થઈ રહ્યું છે. માન્યતા અનુસાર આ અભિજીત મુહૂર્તમાં કરવામાં આવનાર કાર્યમાં જરૂરથી સફળતા મળે છે.
હિન્દુ માન્યતા અને પંચાંગ અનુસાર રાહુકાળ તે એ કાળ છે કે જે સમય દરમિયાન કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં નથી આવતું. માન્યતા અનુસાર આ રાહુકાળ દરમિયાન કરેલું કાર્ય શુભ પરિણામ પણ નથી આપતું. આજે રાહુ કાળ બપોરે 02:50 થી 03:51 સુધી રહેશે. એટલે આ સમય દરમિયાન કોઈપણ શુભ કે માંગલિક કાર્ય કરવાનું ટાળવું જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)
Published On - 6:30 am, Thu, 15 June 23