
Aaj Nu PANCHANG: આજે 20 જૂન, 2023, મંગળવારનો દિવસ છે. પણ, તિથિની દૃષ્ટિએ આજનો દિવસ ખૂબ જ મહત્વ ધરાવે છે. કારણ કે, આજે અષાઢી બીજનો અવસર છે. હિન્દુ સંસ્કૃતિમાં તિથિ, વાર, નક્ષત્ર જોઈને કાર્ય કરવાની પ્રણાલી રહી છે. જેની માહિતી આપણને પંચાંગના માધ્યમથી પ્રાપ્ત થતી હોય છે. સનાતન ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે. ત્યારે આ પંચાંગ પરથી જ જાણીએ કે તિથિના આધારે આજના દિવસનું શું મહત્વ છે !
તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ એ દૈનિક પંચાંગના મુખ્ય પાંચ અંગ મનાય છે. ત્યારે તે અનુસાર જ આજના દિવસની વિગતો મેળવીએ.
તિથિ:- ગુજરાતી પંચાંગ અનુસાર આજે વિ. સં. 2079ના અષાઢ માસના શુક્લ પક્ષની બીજની તિથિ છે. આ તિથિ હિન્દુ સંસ્કૃતિના સૌથી શુભ દિવસોમાંથી એક મનાય છે. કચ્છી સમાજના બેસતા વર્ષનો પણ આ દિવસથી પ્રારંભ થાય છે. તો, પ્રભુ જગન્નાથ આ દિવસે જ રથારૂઢ થઈ નગરચર્યાએ નીકળે છે.
વાર:- મંગળવાર
યોગ:- ધ્રુવ
કરણ:- તૈતિલ
નક્ષત્ર:- પુનર્વસુ
સૂર્યોદય:- 05:56 કલાકે
સૂર્યાસ્ત:- 07:26 કલાકે
આજની ચંદ્ર રાશિ છે મિથુન રાશિ. જેના નામાક્ષર છે (ક, છ, ઘ, ક્ષ). એટલે કે આજે જન્મ લેનારા બાળકોના નામ આ અક્ષર પરથી રાખી શકાશે. સાંજે ચાર વાગ્યા બાદ ચંદ્રનું રાશિ પરિવર્તન થશે અને તે કર્ક રાશિમાં પ્રવેશ કરશે. જેના નામાક્ષર છે કર્ક (ડ, હ).
કોઈપણ કાર્ય કરવા માટે અભિજીત મુહૂર્ત એ અત્યંત શ્રેષ્ઠ મુહૂર્ત મનાય છે. આજે 20 જૂન, મંગળવારના રોજનું અભિજીત મુહૂર્ત બપોરે 12:14 થી 01:08 સુધી પ્રાપ્ત થઈ રહ્યું છે. આ 54 મિનિટનું અભિજીત મુહૂર્ત અત્યંત ફળદાયી મનાય છે. માન્યતા અનુસાર આ અભિજીત મુહૂર્તમાં કરાતા કાર્યમાં જરૂરથી સફળતા મળે છે.
હિન્દુ માન્યતા અને પંચાંગ અનુસાર રાહુકાળ તે એ કાળ છે કે જે સમય દરમિયાન કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં નથી આવતું. માન્યતા અનુસાર આ રાહુકાળ દરમિયાન કરેલું કાર્ય શુભ પરિણામ પણ નથી આપતું. આજે રાહુ કાળ બપોરે 4:04 થી 05:56 સુધી રહેશે. એટલે આ સમય દરમિયાન કોઈપણ શુભ કે માંગલિક કાર્ય કરવાનું ટાળવું જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)