
સનાતન ધર્મમાં હોળાષ્ટકનું વિશેષ મહત્વ છે. આપને જણાવી દઇએ કે હોળાષ્ટક એ હોળીના 8 દિવસો પહેલા શરૂ થઈ જાય છે. અને આ આઠ દિવસોમાં કોઇપણ પ્રકારના શુભ કાર્યો કરવામાં નથી આવતા. ફાગણ માસમાં આવતા હોળિકા દહન અને ધૂળેટીના પર્વનું ખૂબ મહત્વ રહેલું છે. પરંતુ, આપને એક વાત જણાવી દઇએ કે આ આઠ દિવસ પહેલા હોળાષ્ટક શરૂ થઇ જાય છે.
આ આઠ દિવસોમાં કોઇપણ પ્રકારના માંગલિક કાર્યો કરવામાં નથી આવતા અને હોળિકા દહન બાદ ફરી શુભ કાર્યોનો પ્રારંભ થઈ જાય છે. આ વર્ષે 7 માર્ચ, મંગળવારે હોળિકા દહન કરવામાં આવશે અને હોળાષ્ટકનો પ્રારંભ 26 ફેબ્રુઆરી, મંગળવારે થશે. તો ચાલો, એ જાણીએ કે આ હોળાષ્ટક દરમિયાન શા માટે શુભ કાર્ય કરવામાં નથી આવતા. અને આ દરમિયાન કયા કાર્ય ભૂલથી પણ ન કરવા જોઈએ.
જ્યોતિશ શાસ્ત્રમાં જણાવવવામાં આવ્યુ છે કે હોળાષ્ટકના સમય દરમ્યાન કોઇ ગ્રહોની ચાલ શુભ નથી હોતી. ગ્રહોનો સ્વભાવ આ સમય દરમ્યાન ઉગ્ર હોય છે. એટલે આ દિવસો દરમ્યાન માંગલિક કાર્યો કરવાથી ગ્રહોની ખરાબ અસરનો સામનો કરવો પડી શકે છે. સાથે જ પરિવારમાં કલેશ અને કંકાસની સ્થિતિ સર્જાય છે. તેમજ ઘરમાં ધનહાનિ અને બીમારી થવાની સંભાવના રહે છે. એ જ કારણ છે કે હોળાષ્ટક દરમિયાન માંગલિક કાર્યો કરવાનું ટાળવામાં આવે છે.
હોળાષ્ટકના આઠ દિવસ દરમ્યાન માંગલિક કાર્યો કરવાનો નિષેધ છે. પણ, આ સમય ભગવાન વિષ્ણુની ઉપાસના માટે ઉત્તમ મનાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર હોળાષ્ટકના સમયે ભગવાનની ઉપાસના કરવાથી શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે. આ સમયગાળા દરમ્યાન ભગવાન વિષ્ણુની ઊપાસના કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. સાથે જ હોળાષ્ટકના આઠ દિવસો દરમ્યાન જો કોઇ જાતક નિરંતર મહામૃત્યુંજય મંત્રના જાપ કરે છે તો તેને અકાળ મૃત્યુનો ભય નથી સતાવતો.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)