Hanumanji : તમારા જીવનના તમામ કષ્ટો હરશે હનુમાનજીને અર્પણ કરેલી આ વસ્તુઓ

|

Dec 25, 2021 | 6:38 AM

શનિવાર કે મંગળવારના દિવસે કષ્ટભંજન દેવ હનુમાનજીને પ્રિય એવી વસ્તુઓ અર્પણ કરવા માત્રથી હનુમાનજી સ્વયં તમારી મુસીબતો દૂર કરશે. આ વસ્તુઓ અર્પણ કરવાથી તમારા જીવનમાં ક્યારેય આર્થિક સમસ્યા નહીં સર્જાય. જીવનમાં આવનાર તમામ સમસ્યાઓથી તમને દૂર રાખશે હનુમાનજીના આશીર્વાદ.

Hanumanji : તમારા જીવનના તમામ કષ્ટો હરશે હનુમાનજીને અર્પણ કરેલી આ વસ્તુઓ
હનુમાન ઉપાસના

Follow us on

કોઇપણ સંકટ કે પરેશાની હોય આવા સમયમાં મનુષ્યની ઊર્જાની હાનિ થાય છે. માન્યતા અનુસાર સંકટગ્રસ્ત વ્યક્તિ શનિવાર કે મંગળવારના દિવસે હનુમાનજી (HANUMAN)ને પ્રસન્ન કરવા કેટલાક ખાસ ઉપાયો કરશે તો પરેશાની તો દૂર થશે સાથે જ કિસ્મત ચમકી જશે હનુમાનજીની કૃપા મેળવવા માટે ભગવાન રામજીના નામનો જાપ પણ મહત્વનો છે. નિત્ય હનુમાન ચાલીસાનું પઠન કરવું જોઇએ. હનુમાનજીને પ્રસન્ન કરવા આજના દિવસે ભક્તો તેમને કેટલાય પ્રકારના ભોગ અર્પણ કરે છે અને કેટલાય પ્રકારન વસ્તુઓ ભેટ કરે છએ. આવું કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.

ચાલો જાણીએ કે શનિવાર કે મંગળવારે હનુમાનજીને શું અર્પણ કરવું જોઇએ

  • હનુમાનજીને શનિવાર કે મંગળવારે બુંદીનો ભોગ અર્પણ કરવો જોઇએ
  • શનિવાર કે મંગળવારના દિવસે હનુમાનજીને બેસનના લાડુનો ભોગ પણ અર્પણ કરવો જોઇએ
  • હનુમાનજીને સિંદૂર ખૂબ જ પ્રિય છે એટલે મંગળવાર અને શનિવારે હનુમાનજીને સિંદૂર અર્પણ કરવું જોઇએ
  • સિંદૂરમાં ચમેલીનું તેલ મેળવીને હનુમાનજીને લગાવવામાં આવે છે જેને ચોલા કહેવાય છે.
  • હનુમાનજીને તમે કોઇપણ પુષ્પની માળા અર્પણ કરી શકો છે પરંતુ તેમને હજારીગલ અને આંકડાના પુષ્પ ખૂબ પ્રિય છે.
  • હનુમાનજીના ચરણોમાં ગુલાબનું પુષ્પ અર્પણ કરવું જોઇએ
  • મંગળવાર અને શનિવારના દિવસે હનુમાનજીને લાલ વસ્ત્ર અર્પણ કરવા જોઇએ
  • બજરંગબલીને લાલ રંગ ખૂબ પ્રિય છે. તમે તેમને લાલ વસ્ત્ર કે ચુંદડી અર્પણ કરી શકો છો.
  • શનિવાર કે મંગળવારના દિવસે અવશ્ય કરો આ દરેક કાર્ય.
  • શનિવાર કે મંગળવારે અવશ્યપણે રામ મંદિરમાં જવું જોઇએ
  • હનુમાનજીના શ્રીરૂપના મસ્તકમાં રહેલ સિંદૂર જમણા હાથના અંગૂઠાથી લઇને માતા સીતાજીના શ્રીરૂપ તેમના ચરણોમાં લગાવવાથી તમારી મનોકામના પૂર્ણ થશે.
  • શનિવાર કે મંગળવારના દિવસે વહેલી સવારે દોરામાં ચાર મરચાં નીચે તથા 3 મરચાં ઉપર અને વચ્ચે લીંબુ પરોવીને આ માળા ઘર અને વ્યવસાયના દરવાજે લટકાવી દેવી. આવું કરવાથી કોઇપણ પ્રકારની નકારાત્મક ઊર્જાનો વાસ હોય તો તે દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર શરૂ થાય છે
  • કાળા તલ, જવનો લોટ અને તેલ મેળવીને મિક્સ કરેલ કણક લઇને તેમાથી રોટલી બનાવી તેની પર તેલ અને ગોળ લગીવને જેને નજર લાગી હોય તે વ્યક્તિની ઉપરથી સાત વાર ઉતારીને ભેંસને આ રોટલી ખવડાવી દેવી. શનિવાર કે મંગળવારના દિવસે આ ઉપાય કરવો.
  • નાના બાળકો જો વધુ રડતા હોય તો શનિવાર ,રવિવાર કે મંગળવારના દિવસે નિલકંઠનું પીંછું લઇને જે પલંગ પર બાળક સૂતુ હોય ત્યાં લગાવી દો . તુરંત જ બાળકનું રડવાનું બંધ થઇ જશે
  • નાના બાળકો સૂતા સમયે ડરતા હોય તો શનિવાર ,મંગળવાર કે રવિવારના દિવસે એક ફટકડી બાળકના માથા નીચે મૂકી દેવી
  • શનિવારના દિવસે હનુમાનજીના મંદિરમાં જઇ અને તેમના શ્રીરૂપના ખભા પરથી સિંદૂર લઇને નજર લાગી હોય તે વ્યક્તિના કપાળ પર તેનાથી તિલક કરવાથી એક અઠવાડિયામાં જ ખરાબ નજરનો પ્રભાવ દૂર થઇ જાય છે.
  • શનિવાર કે મંગળવારની સાંજે હનુમાનજીને કેવડાનું અત્તર અને ગુલાબના પુષ્પની માળા અર્પણ કરો. હનુમાનજીને ખુશ કરવા માટેનો આ સૌથી સરળ ઉપાય છે.
  • જીવનની કોઇપણ સમસ્યા હોય તો તેમાંથી નિવારણ લાવવા માટે હનુમાનજીના મંદિરમાં જઇ અને ત્યાં રામરક્ષા સ્તોત્રનું પઠન કરવું જોઇએ
  • શનિવાર કે મંગળવારની સાંજે હનુમાનજીના મંદિરમાં જઇ અને એક સરસીયાના તેલ અને એક શુદ્ધ ઘીનો દિવો અવશ્ય પ્રગટાવવો પછી ત્યાં બેસીને હનુમાન ચાલીસાનું પઠન કરવું

હનુમાનજીની કૃપા મેળવવા માટેના આ કેટલાક ઉપાયો હતો જેના દ્વારા તમે તમારી સમસ્યા અને કષ્ટોમાંથી મુક્તિ મેળવી શકશો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)આ પણ વાંચો : કેવાં-કેવાં ફળની પ્રાપ્તિ કરાવશે તુલસી માળા? જાણો તુલસી માળાથી મંત્રજાપની મહત્તા
આ પણ વાંચો : રુદ્રાક્ષની માળા ઘરમાં લાવતા પહેલાં રાખો આ ખાસ વાતનું ધ્યાન, તો જ પ્રાપ્ત થશે મહાદેવના આશીર્વાદ

Next Article