15 માર્ચ 2026થી મીન રાશિમાં સૂર્ય અને શુક્રના મિલાપથી 'શુક્રાદિત્ય રાજયોગ' રચાશે. વૈદિક જ્યોતિષ મુજબ આ રાજયોગ કરિયરમાં પ્રગતિ, અચાનક ધનલાભ અને માન-સન્માન અપાવશે. જાણો તમારી રાશિ આ લકી લિસ્ટમાં છે કે નહીં.
વૈદિક જ્યોતિષ અનુસાર, ગ્રહોની ચાલમાં ફેરફાર તમામ 12 રાશિઓ પર અસર કરે છે. માર્ચ મહિનાના મધ્યમાં સૂર્યદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં શુક્ર પહેલેથી જ બિરાજમાન છે. સૂર્ય અને શુક્રની આ યુતિથી ‘શુક્રાદિત્ય રાજયોગ’ નું નિર્માણ થશે. આ યોગ કરિયર, સંપત્તિ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિનો સંકેત આપે છે. ખાસ કરીને 3 રાશિના જાતકો માટે આ સમય સુવર્ણ સાબિત થઈ શકે છે.
આ 3 રાશિઓનું ચમકશે ભાગ્ય
મિથુન રાશિ: કરિયર અને વ્યવહારમાં લાભ
મિથુન રાશિના જાતકો માટે આ સમય કાર્યક્ષેત્રમાં કરેલી મહેનતનું ફળ આપનારો રહેશે.
નોકરીમાં ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે અને નવી યોજનાઓ સફળ થશે.
જે લોકો ભાગીદારી (Partnership) માં બિઝનેસ કરે છે તેમને મોટો આર્થિક ફાયદો થઈ શકે છે.
આર્થિક સ્થિતિ પહેલા કરતા મજબૂત બનશે અને બચતમાં વધારો થશે.
તુલા રાશિ: ભાગીદારી અને અંગત જીવનમાં સફળતા
તુલા રાશિનો સ્વામી શુક્ર હોવાથી આ રાજયોગની સૌથી વધુ સકારાત્મક અસર આ રાશિ પર જોવા મળશે.
વેપારમાં નવી ભાગીદારીથી લાભ થવાના યોગ છે.
અપરિણીત લોકો માટે લગ્નના સારા પ્રસ્તાવ આવી શકે છે.
નવી નોકરી શોધી રહેલા લોકો માટે આ સમય અત્યંત શુભ છે. ઘરમાં સુખ-સુવિધાઓ અને ભૌતિક સાધનોમાં વધારો થશે.
મીન રાશિ: આવક અને રોકાણમાં વૃદ્ધિ
આ રાજયોગ મીન રાશિમાં જ બની રહ્યો હોવાથી આ જાતકો માટે તે અત્યંત ફળદાયી રહેશે.
લાંબા સમયથી અટકેલા નાણાં પરત મળવાની શક્યતા છે.
નોકરીયાત વર્ગને પ્રમોશન અથવા પગાર વધારાના સારા સમાચાર મળી શકે છે.
બિઝનેસમાં કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે, જે ભવિષ્યમાં મોટો નફો આપશે. રોકાણ કરવા માટે પણ આ સમય અનુકૂળ છે.
Disclaimer: આ લેખ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. TV9Gujarati આની પુષ્ટિ કરતું નથી અને કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધાને સમર્થન આપતું નથી, વધુ માહિતી માટે તમારા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Vastu Tips: Rubber Plant Vastu : નસીબ ચમકાવશે આ એક છોડ ! ઘરના આંગણે રાખતા જ ખેંચાઈ આવશે લક્ષ્મી, જાણો રબર પ્લાન્ટ રાખવાના ફાયદાઓ, જાણો