મહિલાઓએ હનુમાનજીની પૂજા કરવી જોઈએ કે નહીં ? પ્રેમાનંદ મહારાજ જણાવી હકીકત, જુઓ-Video

પ્રેમાનંદ મહારાજના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમણે કહ્યું છે કે મહિલાઓએ પૂજા કરવી જોઈએ કે નહીં? તેના માટેના નિયમો શું હોવા જોઈએ?

મહિલાઓએ હનુમાનજીની પૂજા કરવી જોઈએ કે નહીં ? પ્રેમાનંદ મહારાજ જણાવી હકીકત, જુઓ-Video
Should women worship Hanuman ji or not
| Updated on: Mar 17, 2025 | 3:15 PM

હનુમાનજીને બાળ બ્રહ્મચારી કહેવામાં આવે છે, તેથી તેમની પૂજાને લઈને ઘણી દલીલો આપવામાં આવે છે. કેટલાક કહે છે કે સ્ત્રીઓએ હનુમાનજીની પૂજા કરવી જોઈએ તો કેટલાક કહે છે કે ન કરવી જોઈએ. જો કે, મહિલાઓ ઘણીવાર મંદિરમાં બજરંગબલીની પૂજા કરતી જોવા મળે છે. ત્યારે હવે તેને લઈને પ્રેમાનંદ મહારાજે પોતાની વાત સ્પષ્ટ કરી છે

પ્રેમાનંદ મહારાજના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમણે કહ્યું છે કે મહિલાઓએ પૂજા કરવી જોઈએ કે નહીં? તેના માટેના નિયમો શું હોવા જોઈએ? જો તમે પણ હનુમાન ભક્ત છો તો જાણો સંકટ મોચનની પૂજા કરવાની સાચી રીત કઈ છે.

શું સ્ત્રીઓએ હનુમાનજીની પૂજા ન કરવી જોઈએ?

એક ભક્તે પ્રેમાનંદ મહારાજને પૂછ્યું કે શું સ્ત્રીઓએ હનુમાનજીની પૂજા ન કરવી જોઈએ? તેઓએ મૂર્તિની નજીક ન જવું જોઈએ? આના પર પ્રેમાનંદે પૂછ્યું કે શું હનુમાનજીની મૂર્તિ પાસે જવું એ જ માત્ર ભક્તિ છે? જો કહેવામાં આવ્યું હોય કે મૂર્તિની નજીક ન જવું તો ત્યાં જઈને જ ભક્તિ કરવી જરુરી નથી તમે જ્યાં છો ત્યાંથી પણ ભક્તિ કરી શકો છો, ભક્તિ મનથી થાય છે દેખાડો કરીને નહીં.

હનુમાન બાળ બ્રહ્મચારી છે

ઉદાહરણ આપતાં પ્રેમાનંદે કહ્યું કે હનુમાનજી બાળ બ્રહ્મચારી છે. બ્રહ્મચર્યમાં કોઈપણ સ્ત્રીને સ્પર્શ કરવાની મનાઈ છે. આવી સ્થિતિમાં મહિલાઓએ હનુમાનજીને સ્પર્શ ન કરવા જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. જો કોઈ ઈરાદાપૂર્વક આવું કરશે તો તે પોતે જ તેના માટે દોષિત થશે.

તો પછી સ્ત્રીઓએ કેવી રીતે પૂજા કરવી?

પ્રેમાનંદે કહ્યું કે એ જરૂરી નથી કે હનુમાનજીની પૂજા માત્ર સ્પર્શથી જ થાય. ભગવાન ભાવનાઓમાં છે અને તેમની પૂજા ભાવનાત્મક ભક્તિ સાથે પણ કરી શકાય છે. જો કોઈ સ્ત્રીની ભાવનાઓમાં હનુમાનજી હોય તો તેને કોઈ રોકી શકતું નથી. પરંતુ દરેક સ્ત્રીએ બજરંગ બલીને સ્પર્શે ન કરવું છે તે સ્વીકારવું જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. સંપૂર્ણ ભક્તિ સાથે તેમની પૂજા કરો અને તમને આમ કરવાથી કોઈ રોકી શકશે નહીં.

વાસ્તુ શાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્ર અને ભક્તિને લગતી અમે અગાઉ ઘણી સ્ટોરી કરી છે ત્યારે આવી જ બીજી સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો