Ram Navami 2022: રામ નવમીના દિવસે કરો આ ચોપાઇઓનો પાઠ, તમારી મનોકામનાઓ થશે પૂર્ણ

|

Apr 08, 2022 | 5:20 PM

Ram Navami 2022: પવિત્ર ગ્રંથ રામચરિત માનસનો પાઠ કરવાથી જન્મ-જન્મના પાપો, ભય, રોગ વગેરેમાંથી મુક્તિ મળે છે. રામચરિત માનસની ચૌપાઈઓ એટલી પ્રભાવશાળી છે કે ધનની ઈચ્છા રાખનાર વ્યક્તિ તેનો પાઠ કરવાથી સંપત્તિ મેળવી શકે છે.

Ram Navami 2022: રામ નવમીના દિવસે કરો આ ચોપાઇઓનો પાઠ, તમારી મનોકામનાઓ થશે પૂર્ણ
Ram Navami 2022

Follow us on

રામ નવમી (Ram Navami 2022) ના શુભ દિવસે, રામચરિત માનસનો પાઠ કરવાથી ઘણી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ સાથે પવિત્ર ગ્રંથ રામચરિત માનસનો પાઠ કરવાથી જન્મ-જન્મના પાપો, ભય, રોગ વગેરેમાંથી મુક્તિ મળે છે. રામચરિત માનસ (Ramcharitmanas)ની ચૌપાઈઓ એટલી પ્રભાવશાળી છે કે ધનની ઈચ્છા રાખનાર વ્યક્તિ તેનો પાઠ કરવાથી સંપત્તિ મેળવી શકે છે. જો તમે રામનવમીના દિવસે સંપૂર્ણ રામચરિત માનસનો પાઠ કરી શકતા નથી, તો તમારે ચોક્કસપણે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. શ્રી રામચરિત માનસમાં કેટલીક એવી ચોપાઈ છે જેના પાઠ કરવાથી માનવ જીવનની અનેક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.

એવું કહેવાય છે કે રામનવમીના એક દિવસ પહેલા સમગ્ર રામચરિત માનસનો પાઠ કરવાથી તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે. તમારી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે, રામચરિત માનસની આ ચોપાઈઓનો પાઠ કરવાથી જ શુભ ફળ મળે છે. ચાલો જાણીએ કે તે ચોપાઈ કયા છે.

રામચરિત માનસના ગ્રંથનું મહત્વ

રામચરિત માનસમાં ભગવાન શ્રી રામની સ્તુતિ અને વર્ણન કહેવામાં આવ્યું છે. જે ઘરમાં રામચરિત માનસને આદરપૂર્વક રાખવામાં આવે છે અને પૂજા કરવામાં આવે છે ત્યાં કોઈપણ પ્રકારની કમી નથી હોતી. રામનવમીમાં રામ નામનો જાપ ખૂબ જ ફાયદાકારક અને ચમત્કારી માનવામાં આવે છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

રામચરિત માનસનો નિયમિત પાઠ કરવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે જે ઘરમાં રામચરિત માનસ રાખવામાં આવે છે, ત્યાં ભગવાન શ્રી રામની કૃપા હંમેશા બની રહે છે. રામચરિત માનસની દરેક ચોપાઈ તમને કોઈને કોઈ રીતે લાભ આપે છે. રામચરિત માનસની ચોપાઈ અનેક મંત્રોના જાપનું ખુબ સારૂ પરિણામ આપે છે. રામચરિત માનસ આપણને જીવન જીવવાની સાચી રીત જણાવે છે.

રામચરિત માનસના પાઠ કરવાના નિયમો

રામચરિત માનસનો પાઠ કરતા પહેલા ભગવાન રામની મૂર્તિને જમીન પર સુંદર વસ્ત્રો બિછાવીને સ્થાપિત કરો. સૌથી પહેલા હનુમાનજીનું આહ્વાન કરો અને તેમને રામ કથા માટે આમંત્રણ આપો. એવું માનવામાં આવે છે કે ભગવાન રામની પૂજા કરતા પહેલા હનુમાનજીનું આહ્વાન અનિવાર્ય છે. જેથી પૂજાનું યોગ્ય ફળ મળી શકે.

હનુમાનજીનું આહ્વાન કર્યા પછી શ્રી ગણપતિનું આહ્વાન કરીને રામચરિત માનસનો પાઠ શરૂ કરો. બને ત્યાં સુધી નિયમિત રીતે રામચરિત માનસનો પાઠ કરો, પછી થોભો અને રામજીની આરતી કરો. રામચરિત માનસનો દરરોજ શુદ્ધ તન અને મનથી પાઠ કરવો જોઈએ. આમ કરવાથી દરેક પાપોમાંથી મુક્તિ મળે છે.

संपत्ति प्राप्ति के लिए
‘जे सकाम नर सुनहिं जे गावहिं।
सुख संपत्ति नानाविधि पावहिं।।

मनोकामना पूर्ति एवं सर्वबाधा निवारण हेतु
‘कवन सो काज कठिन जग माही।
जो नहीं होइ तात तुम पाहीं।।

आजीविका प्राप्ति या वृद्धि हेतु
बिस्व भरन पोषन कर जोई।
ताकर नाम भरत असहोई।।

शत्रु नाश के लिए
बयरू न कर काहू सन कोई।
रामप्रताप विषमता खोई।।

भय व संशय निवृत्ति के लिए
रामकथा सुन्दर कर तारी।
संशय बिहग उड़व निहारी।।
अनजान स्थान पर भय के लिए
मामभिरक्षय रघुकुल नायक।
धृतवर चाप रुचिर कर सायक।।

भगवान राम की शरण प्राप्ति हेतु
सुनि प्रभु वचन हरष हनुमाना।
सरनागत बच्छल भगवाना।।
विपत्ति नाश के लिए
राजीव नयन धरें धनु सायक।
भगत बिपति भंजन सुखदायक।।

रोग तथा उपद्रवों की शांति हेतु
दैहिक दैविक भौतिक तापा।
राम राज नहिं काहुहिं ब्यापा।।

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :Kheda: ડાકોર મંદિરના ભોજનાલયને લઈને ટેમ્પલ કમિટી અને કોન્ટ્રાક્ટર વચ્ચે ગજગ્રાહ, કોન્ટ્રાક્ટર કબ્જો ન સોંપતો હોવાનો આરોપ

આ પણ વાંચો :Ukraine War: યુદ્ધનો 44મો દિવસ, યુક્રેનમાં ટ્રેન સ્ટેશન પર રોકેટ વડે થયો હુમલો, 30ના મોત, 100થી વધુ ઘાયલ, જાણો 10 મોટા સમાચાર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- 

Next Article