Pramukh Swami Maharaj Shatabdi Mahotsav : પુજ્ય પ્રમુખ સ્વામી મહારાજની આજે 101 મી જન્મજયંતિ છે, પ્રમુખ સ્વામી મહારાજના જન્મજયંતિને લઇને હરીભક્તોમાં ખુબ ઉત્સાહ છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી મહારાજના જન્મજયંતિ નિમિતે શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં આ નિમિતે આખું નગર બનાવામાં આવ્યું છે. જેમાં પ્રમુખ સ્વામી મહારાજના સંસ્મરણોને તાજા કરવામાં આવશે, અને સ્વામીનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલી ધાર્મિક બાબતોને લઇને આખું નગરને બનાવામાં આવ્યુ છે. સ્વામી મહારાજના જન્મજયંતિ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસર પત્ર લખીને પ્રમુખ સ્વામી મહારાજ સાથેના પોતાના સંસ્મરણોને જીવંત કર્યા છે.
પ્રમુખ સ્વામી મહારાજના જન્મજયંતિમાં વિશ્વના ઘણા ભાગોમાં તેમના ભક્તો અને અનુયાયીઓ દ્વારા ચાલી રહી છે. એક મહિનો – ચાલનારા આ શતાબ્દી મહોત્સવ 15 ડિસેમ્બર, 2022 થી 15 જાન્યુઆરી 2023 સુધી ગુજરાતના અમદાવાદમાં યોજાશે. આમાં, બોચાસન નિવાસી અક્ષર પુરૂષોતમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ) ના લાખો અનુયાયીઓ જુદા જુદા દેશોના શહેરમાં આવશે.
14 ડિસેમ્બરે પીએમ મોદી અમદાવાદ આવશે અને પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું તેમના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવશે. 14 ડિસેમ્બરે સાંજે પાંચ કલાકે મહોત્સવનું પીએમ મોદી ઉદ્દઘાટન કરશે. BAPSના વડા મહંત સ્વામીની ઉપસ્થિતિમાં આ મહોત્સવનો પ્રારંભ થશે. અમદાવાદના ઓગણજમાં 15મી ડિસેમ્બરથી મહોત્સવનો પ્રારંભ થશે. 30 દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં દેશ-વિદેશના લાખો લોકો હાજરી આપશે.
આ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા જાહેર કરવામાં આવી છે. એક મહિના સુધી મહોત્સવનું સ્થળ ‘પ્રમુખસ્વામી મહારાજનગર’ અનેકવિધ કાર્યક્રમોથી ગુંજતું રહેશે. પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને સંદેશને કેન્દ્રમાં રાખીને દરેક દિવસના વિવિધ વિષયો નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રોજ મધ્યાહને અલગ-અલગ મહિલા કાર્યક્રમો, સવારે વિવિધ વિષયક એકેડેમિક કોન્ફરન્સ તથા એસોસિએશનોની કોન્ફરન્સ જેવા વિવિધ કાર્યક્રમોની ભરમાર રહેશે.