Parshuram Jayanti 2022: આજે પરશુરામ જયંતિ, જાણો ભગવાન પરશુરામની 10 અજાણી વાતો

|

May 03, 2022 | 7:00 AM

PARSHURAM JAYANTI 2022: આજે પરશુરામ જયંતિ ઉજવવામાં આવી રહી છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને યોદ્ધા સ્વરૂપ છે. અન્ય અવતારોની જેમ, પરશુરામની પૂજા કરવામાં આવતી નથી કારણ કે તે અમર હોવાનું માનવામાં આવે છે.

Parshuram Jayanti 2022: આજે પરશુરામ જયંતિ, જાણો ભગવાન પરશુરામની 10 અજાણી વાતો
Parshuram Jayanti 2022

Follow us on

Parshuram Jayanti 2022:  આજે 3 મે પરશુરામ (Parshuram) જયંતિ અને અક્ષય તૃતીયા બંને સાથે છે. ધાર્મિક માન્યતાઓ જણાવે છે કે ભગવાન પરશુરામ ભગવાન વિષ્ણુનો છઠ્ઠા અવતાર છે. તેમના પિતા જમદગ્નિ ,ઋષિ ભૃગુવંશી ઋચીક ઋષિજીના પુત્ર હતા. તેમની ગણના સપ્તઋષિઓમાં થાય છે. ભગવાન પરશુરામજીએ બ્રાહ્મણ કુલમાં જન્મ લઈને ન માત્ર વેદ શાસ્ત્રોનો જ્ઞાન મેળવ્યુ, પરંતુ ક્ષત્રિય સ્વભાવને ધારણ કરતા શસ્ત્રોને પણ ધારણ કર્યા અને તેનાથી તે બધા સનાતન જગતના આરાધ્ય અને સમસ્ત શાસ્ત્રોના જ્ઞાત કહેવાયા. તેમના જન્મનો હેતુ પાપી, વિનાશક અને અધાર્મિક રાજા (King)ઓને દૂર કરવાનો હતો – જેમણે સંસાધનોની લૂંટ કરી હતી અને રાજા તરીકેની તેમની ફરજોનું પાલન કર્યું ન હતું.

આ પરશુરામ જયંતિ પર, ભગવાન પરશુરામ વિશે જાણવા જેવી 10 રસપ્રદ બાબતો:

  1. દંતકથાઓ છે કે પરશુરામ ભગવાન શિવના મહાન ભક્તોમાંના એક હતા.
  2. તેમની અવિરત ભક્તિને પગલે, તેમણે ભગવાન શિવ પાસેથી પરશુ અથવા કુહાડી જેવું શસ્ત્ર મેળવ્યું – એક વરદાન તરીકે.
  3. એવું કહેવાય છે કે ભગવાન શિવે પરશુરામને યુદ્ધની કળા શીખવી હતી.
  4. દંતકથાઓ કહે છે કે, ભગવાન શિવના શસ્ત્રથી આશીર્વાદ મળ્યા પછી પરશુરામ યુદ્ધમાં અપરાજિત હતા.
  5. ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
    એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
    ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
    ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
    પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
    શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
  6. હિંદુ પૌરાણિક કથાઓ જણાવે છે કે પરશુરામ એ જ હતા જેમણે મહાભારતના પ્રસિદ્ધ પાત્રો જેમ કે ભીષ્મ, દ્રોણાચાર્ય અને કર્ણને શસ્ત્રોનો ઉપયોગ કરવાની કુશળતા શીખવી હતી.
  7. પરશુરામના પરિવાર વિશે બહુ ઓછું જાણીતું છે. તેમનો જન્મ ઋષિ જમદગની અને રેણુકાને ત્યાં થયો હતો.
  8. એવું માનવામાં આવે છે કે ભગવાન પરશુરામનો જન્મ ઈન્દોરની જનપાવ પહાડીઓ પર થયો હતો. આજની તારીખે, પર્વતની ટોચ પર એક શિવ મંદિર સ્થાપિત થયેલ છે, જ્યાં પરશુરામે ધ્યાન કર્યું હતું અને તેમની પૂજા કરી હોવાનું માનવામાં આવે છે.
  9. એવું માનવામાં આવે છે કે પરશુરામ આજે પણ પૃથ્વી પર રહે છે.
  10. ભગવાન શિવ, રામ, કૃષ્ણ અને અન્ય દેવતાઓથી વિપરીત, પરશુરામની પૂજા કરવામાં આવતી નથી કારણ કે એવું માનવામાં આવે છે કે તેઓ અમર છે.
  11. પરશુરામ વિશે દંતકથાઓ ઘણીવાર ગુસ્સો, હિંસા વિશે વાત કરે છે અને આ લાગણીઓની ખરાબ અસરો પેદા કરી શકે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Next Article