‘अष्‍ट सिद्धि नौ निधि के दाता’, જાણો હનુમાનજીની આઠ ચમત્કારિક સિદ્ધિઓ વિશે !

|

Sep 18, 2021 | 4:42 PM

આ સિદ્ધિઓની મદદથી વિશાળ સ્વરૂપ અને નાનામાં નાનું સ્વરૂપ ધારણ કરી શકાય છે. તે આકાશથી પાતાળ લોક સુધીની યાત્રા કરવા સક્ષમ છે. હનુમાનજીની આ દિવ્ય સિદ્ધિઓ વિશે વિગતવાર જાણીએ.

अष्‍ट सिद्धि नौ निधि के दाता, જાણો હનુમાનજીની આઠ ચમત્કારિક સિદ્ધિઓ વિશે !
પવનપુત્ર હનુમાનજી

Follow us on

‘अष्‍ट सिद्धि नौ निधि के दाता, अस वर दीन्‍ह जानकी माता’.

શક્તિ અને બુદ્ધિના દાતા હનુમાનજી આઠ સિદ્ધિઓ અને નવ નિધિના આપનારા છે. આ શક્તિઓ છે, જેના દ્વારા અશક્ય કાર્યોને પણ શક્ય બનાવી શકાય છે. પવનપુત્ર હનુમાનજી, પોતાની શક્તિઓના બળ પર, ઉડાન ભરીને વિશાળ સમુદ્ર પાર કર્યો અને માતા સીતાને શોધ્યા હતા. આ સિદ્ધિઓની મદદથી વિશાળ સ્વરૂપ અને નાનામાં નાનું સ્વરૂપ ધારણ કરી શકાય છે. તે આકાશથી પાતાળ લોક સુધીની યાત્રા કરવા સક્ષમ છે. હનુમાનજીની આ દિવ્ય સિદ્ધિઓ વિશે વિગતવાર જાણીએ.

અણિમા

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

આ સિદ્ધિ દ્વારા તમારા શરીરને ખૂબ નાનું એટલે કે સૂક્ષ્મ બનાવી શકાય છે. આ દિવ્ય સિદ્ધિની મદદથી હનુમાનજીએ પોતાના શરીરને ખૂબ નાનું બનાવીને લંકામાં પ્રવેશ કર્યો હતો. આ સિદ્ધિના બળ પર, તે લંકાના રાક્ષસોની નજરમાં આવ્યા ન હતા. આ સિદ્ધિનો ઉપયોગ કરીને, તે સુરસા નામના રાક્ષસના મોંની અંદર પ્રવેશ્યો અને સુરક્ષિત રીતે બહાર આવ્યા હતા.

મહિમા

આઠ સિધ્ધિઓમાંથી એક મહિમાની મદદથી વ્યક્તિના શરીરને વિશાળ સ્વરૂપ આપી શકાય છે. આ એક ખૂબ જ ચમત્કારિક સિદ્ધિ છે. તેની મદદથી હનુમાનજીએ તેમનું કદ મોટું કર્યું અને લંકા જવા રવાના થયા. લંકામાં માતા સીતાને સમજાવવા માટે કે તે ભગવાન રામના સંદેશ વાહક છે, તેમણે આ સિદ્ધિ દ્વારા તેનું શરીર મોટું કરીને બતાવ્યું હતું.

ગરિમા

આ સિદ્ધિના ઉપયોગથી કોઈ પણ વ્યક્તિ પોતાના શરીરને પર્વત જેટલું ભારે બનાવી શકે છે. શ્રી હનુમાનજીએ તેનો ઉપયોગ મહાભારત કાળમાં ભીમના અભિમાનને દૂર કરવા માટે કર્યો હતો. હનુમાનજીની આ સિદ્ધિને કારણે ભીમ તેની પૂંછ હટાવી શક્યો નહીં અને બાદમાં તેને પોતાની ભૂલનો અહેસાસ થયો.

લધિમા

તેના દ્વારા વ્યક્તિ મોરના પીંછા કરતા તેના શરીરને હળવું બનાવીને હવામાં તરતા રહે છે. હનુમાનજીએ આ સિદ્ધિનો ઉપયોગ લંકામાં રાક્ષસો અને રાવણથી બચવા માટે કર્યો હતો અને પોતાને ઝાડના પાંદડાઓ વચ્ચે છુપાવી દીધા હતા.

પ્રાપ્તિ

આ દૈવી સિદ્ધિ દ્વારા વ્યક્તિ ભવિષ્યમાં ડોકિયું કરી શકે છે અને આગામી ઘટનાઓ જોઈ શકે છે અને પ્રાણીઓ અને પક્ષીઓની ભાષા સમજી શકે છે. માતા સીતાને શોધવા માટે, હનુમાનજીએ આ સિદ્ધિનો ઉપયોગ કરીને ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ પાસેથી સીતાજીને શોધવાનો પ્રયાસ કર્યો હતો.

પ્રાકમ્ય

આ સિદ્ધિ દ્વારા અન્ય વૈશ્વિક વિષયોનું જ્ઞાન સરળતાથી પ્રાપ્ત થાય છે. આ સિદ્ધિ દ્વારા જ હનુમાનજી કોઈ પણ સમયે કોઈ પણ સ્વરૂપ ધારણ કરી શકે છે અને અનંતકાળ સુધી તેમના ભક્તોમાં વચ્ચે રહી શકે છે.

ઈશિત્વ

આ શક્તિ દ્વારા જ માયાને પ્રેરિત કરવું શક્ય છે. આ સિદ્ધિ દ્વારા, હનુમાનજીએ કુશળ રીતે સમગ્ર વાનર સેનાનું નેતૃત્વ કર્યું અને લંકામાં ભગવાન શ્રી રામના વિજયમાં મદદરૂપ બન્યા હતા.

વશિત્વ

આ સિદ્ધિ દ્વારા વ્યક્તિને કપટ, પ્રપંચ, માયા વગેરેથી દૂર રાખવામાં આવે છે. આ સિદ્ધિ વ્યક્તિને જીતેન્દ્રિય બનાવે છે અને તેનો તેના મન પર સંપૂર્ણ નિયંત્રણ હોય છે.

 

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Anant Chaturdashi 2021: જાણો ત્રણ શુભ રંગ, વિસર્જન પૂર્વે આ રંગ દ્વારા પૂજનથી શ્રીગણેશ થશે પ્રસન્ન !

આ પણ વાંચો : Uttarakhand: આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, માત્ર ઈ-પાસ દ્વારા કરી શકાશે દર્શન, જાણો સરકારની ગાઈડલાઈન

Published On - 4:40 pm, Sat, 18 September 21

Next Article