Vastu Tips: ઘરમાં આ રીતે રાખો કામધેનુ ગાયની મૂર્તિ, નહીં થાય ધનની કમી

|

Jun 03, 2022 | 2:46 PM

કામધેનુ ગાયની મૂર્તિને એક શક્તિ માનવામાં આવે છે, કારણ કે વાસ્તુ (Vastu) અનુસાર તેમાં માતા દુર્ગા, ધનની દેવી લક્ષ્મી અને દેવી સરસ્વતીના ગુણ પણ છે. અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કામધેનુ ગાયની મૂર્તિ ઘરમાં કઈ દિશામાં રાખવી જોઈએ અને તેનાથી શું ફાયદાઓ થઈ શકે છે.

Vastu Tips: ઘરમાં આ રીતે રાખો કામધેનુ ગાયની મૂર્તિ, નહીં થાય ધનની કમી
Kamdhenu Cow

Follow us on

જીવનમાં સુખ-સમૃદ્ધિ માટે પણ લોકો વાસ્તુનો સહારો લે છે. વાસ્તુશાસ્ત્રના (Vastushastra) નિયમો અનુસાર ઘરનું આયોજન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે તે દોષોને દૂર કરે છે અને નાણાકીય લાભ સહિત અનેક લાભ આપે છે. ઘર માટેની વાસ્તુ ટિપ્સ (Vastu Tips For Home) અનુસાર ઘરમાં કામધેનુ ગાયની મૂર્તિ રાખવી પણ શુભ માનવામાં આવે છે. કામધેનુ ગાયને વૈશ્વિક ગાય તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સમુદ્ર મંથન સાથે સંબંધિત માનવામાં આવે છે અને એવું કહેવાય છે કે જેના પર તેની કૃપા થઈ છે તેની દરેક ઈચ્છાઓ તે પૂરી કરે છે. કામધેનુ ગાયની મૂર્તિમાં એક વાછરડું દેખાય છે, જેને નંદિની કહેવામાં આવે છે.

કામધેનુ ગાયની મૂર્તિને એક શક્તિ માનવામાં આવે છે, કારણ કે વાસ્તુ અનુસાર તેમાં માતા દુર્ગા, ધનની દેવી લક્ષ્મી અને દેવી સરસ્વતીના ગુણ પણ છે. આ આર્ટીકલમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કામધેનુ ગાયની મૂર્તિ ઘરમાં કઈ દિશામાં રાખવી જોઈએ અને તેનાથી શું ફાયદાઓ થઈ શકે છે.

પવિત્ર મૂર્તિને આ દિશામાં રાખો

જો તમે કામધેનુ ગાયની મૂર્તિને ઘરમાં સ્થાપિત કરવા માંગો છો તો તેને ઘરની ઈશાન દિશામાં રાખો. કહેવાય છે કે આ દિશામાં દેવતાઓનો વાસ હોય છે અને આ પવિત્ર સ્થાન પર આ મૂર્તિ રાખવી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમે તેને બીજી દિશામાં રાખવા માંગો છો, તો તેના માટે તમે ઘરની ઉત્તર-પૂર્વ દિશા પસંદ કરી શકો છો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મૂર્તિને આ રૂમમાં રાખો

ઘણા ઘરોમાં, આખા રૂમનો પૂજા સ્થળ તરીકે ઉપયોગ થાય છે. તમે આ પવિત્ર સ્થાન પર કામધેનુ ગાય અને તેના વાછરડાની મૂર્તિ રાખી શકો છો. જો તમે ઈચ્છો તો આ મૂર્તિને તમારા ઘરના મુખ્ય દરવાજા પર રાખી શકો છો. આવું કરવું શુભ રહેશે કારણ કે એક સમયે લોકો ઘરના મુખ્ય દ્વાર પર ગાયો રાખતા હતા અને આજે પણ ગ્રામીણ વિસ્તારોમાં આ જોવા મળે છે. કહેવાય છે કે ગાય ધન અને સમૃદ્ધિનું કારક છે.

ઘરે આ પ્રકારની મૂર્તિ લાવો

કામધેનુ ગાય અને વાછરડાની મૂર્તિ બજારમાં અનેક પ્રકારની સામગ્રીમાં હાજર છે. જો શક્ય હોય તેમણે ઘરે કામધેનુ ગાયની ચાંદીની મૂર્તિ લાવવી જોઈએ. શુભતાની દ્રષ્ટિએ ચાંદીનું ઘણું મહત્વ છે. જો તમે ઈચ્છો તો આ પવિત્ર મૂર્તિને તમારા બજેટ પ્રમાણે ઘરમાં પણ લાવી શકો છો. જો તમે ઇચ્છો તો, તમે તાંબા અથવા પિત્તળની મૂર્તિ પણ પસંદ કરી શકો છો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Next Article