Holi 2022 : હોળીના દિવસે કેમ પીવાય છે ભાંગ, જાણો શું છે તેનું ધાર્મિક મહત્વ

|

Mar 15, 2022 | 3:45 PM

હોળી 2022: હિંદુ ધર્મમાં, ભાંગ ભગવાન શિવ સાથે સંકળાયેલ છે. પરંતુ શું તમે જાણો છો કે હોળીના દિવસે તેનું સેવન શા માટે કરવામાં આવે છે. આવો જાણીએ તેનું ધાર્મિક મહત્વ

Holi 2022 : હોળીના દિવસે કેમ પીવાય છે ભાંગ, જાણો શું છે તેનું ધાર્મિક મહત્વ
Holi 2022 (symbolic image )

Follow us on

હોળીનો તહેવાર (Holi 2022) સમગ્ર દેશમાં ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે હોળીનો તહેવાર 17 માર્ચે ઉજવવામાં આવશે. હોળીનો તહેવાર બુરાઇ પર સારાઇની જીતનું પ્રતીક છે. દર વર્ષે આ દિવસે મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે, રંગો સાથે રમે છે, નૃત્ય કરે છે, સ્વાદિષ્ટ વાનગીઓ ખાય છે અને એકબીજાને શુભેચ્છા પાઠવે છે. બીજી તરફ હોળીનો તહેવાર ભાંગ વગર અધૂરો ગણાય છે. આ દરમિયાન ભાંગનું પણ સેવન કરવામાં આવે છે. લોકો આ દિવસે અલગ અલગ રીતે ભાંગ આરોગે છે. આમાં લસ્સી, પકોડા, થંડાઈ અને ગુજિયાની સાથે પણ લોકો ભાંગ પીવાનું પસંદ કરે છે.

ભાંગનું ધાર્મિક મહત્વ

એવું માનવામાં આવે છે કે સમુદ્ર મંથન દરમિયાન નીકળેલા ઝેરને શિવે ગળામાં ઉતારવા દીધું ન હતું. આ ઝેર ખૂબ જ ગરમ હતું. આ કારણે શિવને ગરમી લાગવા લાગી. શિવ કૈલાસ પર્વત પર ગયા. ઝેરની ગરમી ઓછી કરવા માટે શિવે ભાંગનું સેવન કર્યું. ભાંગને ઠંડક આપનાર માનવામાં આવે છે. ત્યારથી ભગવાન શિવને ભાંગ ખૂબ જ પ્રિય છે. ભગવાન શિવની પૂજા દરમિયાન પણ ભાંગનો ઉપયોગ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભાંગ વિના શિવની પૂજા અધૂરી છે. કહેવાય છે કે શિવ પૂજામાં ભાંગ ચઢાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. ઉપરાંત ભાંગ બનાવટમાંં ધતુરા અને બિલીના પાનનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

હોળીના દિવસે ભાંગ કેમ પીવામાં આવે છે?

ધાર્મિક માન્યતાઓ અનુસાર, હોળીના દિવસે ભગવાન શિવ અને વિષ્ણુ મિત્રતાના પ્રતીક તરીકે ભાંગના સેવન કરે છે. વાસ્તવમાં એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુએ ભક્ત પ્રહલાદને મારવાનો પ્રયાસ કરનાર હિરણ્યકશિપુને મારવા માટે નરસિંહનું રૂપ ધારણ કર્યું હતું. પરંતુ હિરણ્યકશિપુને માર્યા પછી તે ગુસ્સે થયા હતા. તેને શાંત કરવા માટે ભગવાન શિવે શરભનો અવતાર લીધો. હોળીના દિવસે ભાંગના સેવનનું એક કારણ આ પણ માનવામાં આવે છે. તેનું પ્રસાદ તરીકે સેવન કરવામાં આવે છે. આ સિવાય બીજી ઘણી વાર્તાઓ પણ લોકપ્રિય છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)

આ પણ વાંચો :Los Angeles News: BJPએ મેળવેલા ચાર રાજ્યનાં ભવ્ય વિજયની વિદેશમાં પણ ઉજવણી, NRIઓનો એક જ મત, વિકાસે મારી બાજી

આ પણ વાંચો :અમેરિકા-કેનેડા સરહદે ડીંગુચા પરિવાર સાથે મહેસાણાની એક મહિલાનું પણ મોત થયાની આશંકા, 11 સભ્યના ગ્રુપ સાથે ગઇ હતી મહિલા

Published On - 2:51 pm, Tue, 15 March 22

Next Article