મહાસંયોગ અપાવશે સમૃદ્ધિના આશીર્વાદ ! જાણો, હોળી પર કેવી રહેશે ગ્રહોની ચાલ ?

|

Mar 04, 2023 | 6:13 AM

કુંભ રાશિમાં સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગ બની રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્રમાં (Astrology) બુધાદિત્ય રાજયોગને ખૂબ શુભ માનવામાં આવે છે. આ યોગ આ વખતે વૃષભ, શુક્ર અને કુંભ રાશિના જાતકોને શુભ ફળ પ્રદાન કરશે.

મહાસંયોગ અપાવશે સમૃદ્ધિના આશીર્વાદ ! જાણો, હોળી પર કેવી રહેશે ગ્રહોની ચાલ ?

Follow us on

હિન્દુ પંચાંગ અનુસાર વર્ષ દરમિયાન એવી ચાર રાત્રી આવે છે, કે જે રાત્રીએ સાધનાનું અને પૂજાનું માહાત્મ્ય રહેલું છે. આ ચાર રાત્રીમાં નવરાત્રી, જન્માષ્ટમી, શિવરાત્રી અને દારુણરાત્રી એટલે કે હોળીનો સમાવેશ થાય છે. હોળીની સાધના અત્યંત ફળદાયી મનાય છે. એમાં પણ આ વખતે હોળી અત્યંત શુભ સંયોગ સાથે આવી છે. જે સવિશેષ લાભદાયી મનાઈ રહી છે. ત્યારે આવો જાણીએ કે આ હોળી પર કયો મહાસંયોગ સર્જાયો છે ? અને આ શુભ સંયોગ કેવાં લાભની પ્રાપ્તિ કરાવશે ?

ત્રણ શુભ સંયોગ !

આ વખતે હોળી પ્રાગટ્ય ક્યારે કરવું તેને લઇને ખૂબ જ અસમંજસ છે. પરંતુ, 6 માર્ચ, સોમવારે સાંજે 4:17 કલાકે પૂનમનો પ્રારંભ થઈ રહ્યો છે. આ પૂનમ 7 માર્ચ, મંગળવારે સાંજે 6:09 કલાકે સમાપ્ત થશે. સંધ્યાકાળ સોમવારે મળી રહ્યો હોઇ ગુજરાતના દ્વારકા, સોમનાથ જેવાં મંદિરોમાં 6 માર્ચે હોળી પ્રાગટ્ય કરવામાં આવશે. તો, કેટલાંક સ્થાન પર 7 માર્ચે હોળી પ્રાગટ્યનું આયોજન થયું છે. પણ, સૌથી મહત્વની વાત એ છે કે, બંન્નેમાંથી જે પણ દિવસે હોલિકા દહન થાય, પણ, તે સમયે ત્રણ શુભ યોગ બની રહ્યા છે. જે વિશેષ ફળદાયી મનાય છે. આ શુભ સંયોગ નીચે અનુસાર છે.

શનિ, સૂર્ય અને બુધનો ત્રિગ્રહી યોગ !

હોળીના અવસર પર શનિની રાશિ કુંભમાં શનિ, સૂર્ય અને બુધની યુતિ બની રહી છે. આ 3 ગ્રહોની યુતિથી ત્રિગ્રહી યોગ સર્જાયો છે. આવો સંયોગ 30 વર્ષ બાદ બની રહ્યો છે. આ પહેલાં વર્ષ 1993માં હોળીના અવસર પર આ 3 ગ્રહ કુંભ રાશિમાં હતા.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

બુધાદિત્ય રાજયોગ

કુંભ રાશિમાં સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગ બની રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્રમાં બુધાદિત્ય રાજયોગને ખૂબ શુભ માનવામાં આવે છે. આ યોગ આ વખતે વૃષભ, શુક્ર અને કુંભ રાશિના જાતકોને શુભ ફળ પ્રદાન કરશે.

સ્વરાશિમાં ગુરુ ગ્રહ !

ગુરુ ગ્રહ પણ તેની સ્વરાશિ મીનમાં છે. જે 12 વર્ષ બાદ થઇ રહ્યું છે. આ પહેલાં હોળીના અવસર પર વર્ષ 2011માં ગુરુ પોતાની સ્વરાશિ મીનમાં હતા. ગ્રહોની આ પ્રકારની શુભ અને અદભુત સ્થિતિ દુર્લભ યોગ માનવામાં આવે છે. જેની મોટી અસર 12 રાશિઓ પર થશે.

શુક્ર કરાવશે સમૃદ્ધિમાં વૃદ્ધિ !

ધન, વિલાસ, વૈભવ, પ્રેમના દાતા મનાતા શુક્ર ગ્રહ વર્તમાનમાં ગુરુની સાથે મીન રાશિમાં બિરાજમાન છે. ગુરુ ભાગ્યમાં વૃદ્ધિ કરનાર ગ્રહ છે. આ 2 શુભ ગ્રહો પોતાની ઉચ્ચ રાશિ મીનમાં હોવાથી લોકોના જીવનમાં સુખ-સમૃદ્ધિ અને પ્રેમમાં વધારો કરશે. મીન રાશિમાં શુક્ર અને ગુરુની યુતિ ખાસ કરીને વૃષભ અને તુલા રાશિના જાતકોને શુભ ફળ પ્રદાન કરશે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Next Article