શું તમે આજે કરી તુલસી પૂજા ? તમામ સંકટને દૂર કરશે અમાસની તુલસી પૂજા !

|

Feb 11, 2021 | 12:00 PM

મૌની અમાસના રોજ તુલસી પૂજાનું સવિશેષ મહત્વ છે. કહે છે કે આ દિવસે બધાં જ કામ પડતા મૂકી તુલસીજીની પૂજા અચૂક કરવી. કારણ કે તે પૂજામાં આવનારા સંકટોને ટાળવાનું સામર્થ્ય રહેલું છે.

શું તમે આજે કરી તુલસી પૂજા ? તમામ સંકટને દૂર કરશે અમાસની તુલસી પૂજા !
તુલસીપૂજાથી તમામ સંકટ દૂર થશે

Follow us on

તુલસી (TULSI) એ તો સૌથી પવિત્ર મનાતો છોડ છે, અને એટલે જ શાસ્ત્રોમાં તેના પૂજનનો મહિમા વર્ણવાયો છે. તમે પણ આસ્થા સાથે નિત્ય તુલસીને જળ અર્પણ કરતા હશો. તુલસીજી પાસે દીપ પ્રગટાવી તેની પૂજા કરતા હશો. પણ, અમાસના રોજ અને એમાંય મૌની અમાસના રોજ થનારી તુલસી પૂજા વિશેષ ફળદાયી મનાય છે.

મૌની અમાસના રોજ તુલસી પૂજાનું સવિશેષ મહત્વ છે. કહે છે કે આ દિવસે બધાં જ કામ પડતા મૂકી તુલસીજીની પૂજા અચૂક કરવી. કારણ કે તે પૂજામાં આવનારા સંકટોને ટાળવાનું સામર્થ્ય રહેલું છે. આ પૂજા તમે દિવસમાં ગમે ત્યારે કરી શકો છો. પણ, તે સાંજના સમયે વિશેષ ફળ પ્રદાન કરનારી બનશે.

પૂજન વિધિ
1. સંધ્યાટાણે પૂજનવિધિનો પ્રારંભ કરવો
2. સાંજના સમયે તુલસીજીને જળ અર્પણ ન કરવું
3. કંકુ, ચોખા, પુષ્પ અર્પણ કરી ઘીનો દીપક પ્રજ્વલિત કરવો
4. દીપ પ્રગટાવી 108 વખત તુલસીજીની પ્રદક્ષિણા કરો
5. તુલસીજીની પ્રદક્ષિણા કરવા જેટલી જગ્યા ન હોય તો તેમની સન્મુખ ઉભાં રહી 108 પ્રદક્ષિણા કરવી
6. આ અત્યંત સરળ પ્રયોગથી જીવનમાં સકારાત્મક ઊર્જાની અનુભૂતિ થશે.
7. માન્યતા છે કે આ પ્રયોગ આવનારા સંકટો સામે પરિવારની રક્ષા કરશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

એટલે કે, અત્યંત સરળ વિધિ દ્વારા તમે તુલસીકૃપાને પ્રાપ્ત કરી શકો છો. આ વિધિથી તુલસીજી જીવનના તમામ સંકટ તો દૂર કરશે જ. પણ, તુલસીજીમાં લક્ષ્મીજીનો વાસ મનાતો હોઈ, તે આર્થિક સમૃદ્ધિમાં પણ વૃદ્ધિ કરશે.

આ પણ વાંચો સરળ વિધિ દ્વારા મૌની અમાસે કરો મહાફળની પ્રાપ્તિ !

Next Article