Chanakya Niti : નોકરી અને ધંધામાં સફળતા મેળવવા માટે આ ચાર બાબતોને અનુસરો, હંમેશા પ્રગતિ મળશે

|

Jul 05, 2021 | 10:00 AM

Acharya Chanakya: આચાર્ય ચાણક્ય અર્થશાસ્ત્રના (Economics) મહાન વિદ્વાન છે. તેમણે તેમના જીવનમાં ઘણા પુસ્તકો લખ્યા છે. તેમાં નીતિશાસ્ત્ર એ ખૂબ ઉપયોગી પુસ્તક છે, જેમાં જીવન સાથે જોડાયેલા તમામ પાસાઓ અને સફળતા મેળવવા માટેના રસ્તા આપ્યા છે. આચાર્ય ચાણક્યની નીતિઓ આજે પણ ખુબ પ્રચલિત છે.

Chanakya Niti : નોકરી અને ધંધામાં સફળતા મેળવવા માટે આ ચાર બાબતોને અનુસરો, હંમેશા પ્રગતિ મળશે
ચાણક્ય નિતી

Follow us on

આચાર્ય ચાણક્યએ પોતાની પુસ્તક એથિક્સમાં (Ethics) જણાવ્યું છે કે, નોકરી અને ધંધામાં સફળતા મેળવવા માટે વ્યક્તિએ કેટલીક મહત્વપૂર્ણ બાબતોની કાળજી લેવી પડે છે. જો તમે પણ હંમેશા નોકરી અને ધંધામાં પ્રગતિ કરવા માંગતા હો, તો આ ચાર બાબતોને હંમેશા યાદ રાખો.

આચાર્ય ચાણક્ય કુશળ વ્યૂહરચનાકાર તેમજ અર્થશાસ્ત્રના (Economics) મહાન વિદ્વાન છે. તેમણે તેમના જીવનમાં ઘણા પુસ્તકો લખ્યા છે. તેમાં નીતિશાસ્ત્ર એ ખૂબ ઉપયોગી પુસ્તક છે, જેમાં જીવન સાથે જોડાયેલા તમામ પાસાઓ અને સફળતા મેળવવા માટેના રસ્તા આપ્યા છે. આચાર્ય ચાણક્યની નીતિઓ આજે પણ ખુબ પ્રચલિત છે. તેમનું આ પુસ્તક વ્યવહારિક શિક્ષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

આજના ઝડપી ગતિશીલ જીવનમાં, દરેક વ્યક્તિ સફળ(Success)  થવા માંગે છે. પરંતુ ઘણા પ્રયત્નો કર્યા પછી પણ તેને સફળતા મળતી નથી. ચાણક્યના જણાવ્યા મુજબ, જો કોઈ વ્યક્તિ નોકરી અને ધંધાના ક્ષેત્રમાં સફળતા ઇચ્છે છે, તો કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ત્યારે આજે તમને આ ચાર બાબતો વિશે જણાવીશું.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

1.કામ પ્રત્યે પ્રામાણિકતા અને શિસ્ત જરૂરી

જો કોઈ વ્યક્તિ નોકરી અને ધંધામાં સફળતા મેળવવા માંગે છે તો તેણે પ્રામાણિકતા અને કાર્ય પ્રત્યે શિસ્તબદ્ધ રહેવું જોઈએ. આચાર્ય ચાણક્ય અનુસાર, વ્યક્તિમાં શિસ્તથી ((discipline))સખત મહેનતની ભાવના ઉત્પન્ન થાય છે. શિસ્ત વિના વ્યક્તિ જીવનમાં સફળતા મેળવી શકતો નથી. તેથી, સફળ થવા માટે કામ પ્રત્યે શિસ્ત રાખવુ ખૂબ જ જરૂરી છે.

2.સફળતા મેળવવા માટે જોખમ લેવું જરૂરી

આચાર્ય ચાણક્યના જણાવ્યા અનુસાર, કોઈપણ વ્યવસાયમાં(Profession)  સફળતા મેળવવા માટે જોખમ લેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કોઈ વ્યક્તિ જોખમ લઈને નિર્ણય કરે છે, તો તેને ઝડપથી સફળતા મળે છે. વ્યવસાયમાં યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેના કારણે વ્યક્તિને ભવિષ્યમાં(Future)  ઘણા ફાયદાઓ મળે છે.

3.સારી વર્તણૂક બનાવશે પ્રભાવશાળી

આચાર્ય ચાણક્યના જણાવ્યા મુજબ, કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે, તમારું વર્તન સારું હોવું જોઈએ. જે લોકો સારી વર્તણૂકથી(Behaviour) સમૃદ્ધ છે, તેઓ કોઈપણ ક્ષેત્રમાં ખૂબ ઝડપથી આગળ વધે છે. તમારી સારી વર્તણૂક અને મધુર શબ્દો લોકોના મનમાં તમારી છબીને પ્રભાવશાળી બનાવવાનું કામ કરે છે.

4.ટીમ વર્ક સાથે કામ કરવાથી મળશે સફળતા

આચાર્ય ચાણક્ય મુજબ, કોઈ પણ વ્યક્તિ એકલા સફળ થઈ શકતો નથી. સફળ થવા માટે વ્યક્તિને ટીમ(Team) સાથે કામ કરવાની વૃત્તિ હોવી જોઈએ. સફળતા મેળવવા માટે દરેકને સાથે રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી, દરેક વ્યક્તિએ તેની ક્ષમતા અનુસાર ટીમ સાથે કામ કરવું જોઈએ, તેનાથી હંમેશા પ્રગતિ મળશે.

Next Article