
vasant Panchami daan: દર વર્ષે મહા મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે વસંત પંચમી ઉજવવામાં આવે છે. આ દિવસે, જ્ઞાન અને કલાની દેવી સરસ્વતીની પૂજા કરવાની પરંપરા છે. આ કારણે જ વસંત પંચમીને શ્રી પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. વસંત પંચમીના દિવસે નવું કાર્ય કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે જેમ કે નવું શિક્ષણ, નવા કાર્યની શરૂઆત, બાળકોના મુંડન સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્યો થઈ શકે છે.
વસંત પંચમીના દિવસે નવા પીળા રંગના વસ્ત્રો પહેરવા લાભદાયી હોય છે. આ સિવાય વસંત પંચમીના દિવસે કેટલીક ખાસ વસ્તુઓનું દાન કરવાથી ધનમાં વધારો થાય છે અને દેવી સરસ્વતીની કૃપા પ્રાપ્ત થાય છે. આવી સ્થિતિમાં અમે તમને જણાવીએ કે વસંત પંચમીના દિવસે શું દાન કરવું જોઈએ.
માહા મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ 2જી ફેબ્રુઆરીના રોજ સવારે 9.14 કલાકે શરૂ થશે.આ પંચમી તિથિ 3જી ફેબ્રુઆરીના રોજ સવારે 6.52 કલાકે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં 2 ફેબ્રુઆરીએ વસંત પંચમીની ઉજવણી કરવામાં આવશે.
વસંત પંચમી સરસ્વતી પૂજાનો શુભ સમય – 2 ફેબ્રુઆરી સવારે 7:12 થી બપોરે 12:52 સુધી.
વસંત પંચમીના પવિત્ર દિવસે તમે આ વસ્તુઓનું દાન કરી શકો છો-
વસંત પંચમીના દિવસે અભ્યાસ સાથે જોડાયેલી વસ્તુઓનુ દાન કરવુ ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. આ વસ્તુઓનુ દાન કરવાથી વ્યક્તિને પોતાના કરિયરમાં ઝડપથી ઉન્નતિ અને સફળતા મળે છે.
પેન-પુસ્તક
વસંત પંચમીના દિવસે ગરીબ બાળકોને નોટબુક, પેન અને પેન્સિલનુ દાન કરો. આ વસ્તુઓનુ દાન કરવાથી વ્યક્તિ પર માતા સરસ્વતીની વિશેષ કૃપા વરસે છે અને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે.
વસંત પંચમીના દિવસે તમારી ક્ષમતા મુજબ ગરીબોને ધનનુ દાન કરો. આ દિવસે ધનનુ દાન ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. કહેવાય છે કે વસંત પંચમીના દિવસે ધનનુ દાન કરવાથી ઘરની તિજોરી પૈસાથી સદૈવ ભરાયેલી રહે છે.
વસંત પંચમીના દિવસે અનાજનુ દાન પણ ખૂબ જ શુભદાયી માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે વસંત પંચમીના દિવસે અનાજનુ દાન કરવાથી ઘરનો ભંડાર સદૈવ ભરેલો રહે છે. ઘરમાં ક્યારેય પણ ધન-ધાન્યની કમી રહેતી નથી.
વસંત પંચમીના દિવસે પીળી વસ્તુઓનુ દાન કરવાથી ઘરમાં ખુશીઓનુ આગમન થાય છે. વસંત પંચમીના દિવસે પીળા વસ્ત્ર, પીળી મીઠાઈ વગેરે વસ્તુઓનુ દાન જરૂર કરો.