Gujarati NewsBhaktiAstrology: These signs are found when the Moon is weak in the horoscope, these measures can benefit
Astrology : કુંડળીમાં ચંદ્ર નબળો હોય ત્યારે જોવા મળે છે આવા સંકેતો, અજમાવો આ ઉપાય થશે ફાયદો
Astro Remedies to make strong moon : કુંડળીમાં નબળો ચંદ્ર હોવાને કારણે ઘણી સમસ્યાઓ પરેશાન કરે છે. અહીં જણાવેલ જ્યોતિષીય ઉપાયો અજમાવીને તમે ચંદ્રને બળવાન બનાવી શકો છો.
Astro Remedies to make strong moon
Follow us on
જ્યોતિષમાં નવ ગ્રહોનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ગ્રહોની સ્થિતિ(Planetary Positions) અનુસાર વ્યક્તિના સ્વભાવ અને તેના જીવન પર પણ અસર પડે છે. ચંદ્રને પણ મુખ્ય નવ ગ્રહોમાંનો એક માનવામાં આવે છે. કહેવાય છે કે કુંડળી(Kundali) માં ચંદ્ર નબળો પડી જાય તો વ્યક્તિ માનસિક રીતે ખૂબ જ કમજોર થઈ જાય છે. ખૂબ જ લાગણીશીલ બની જાય છે. લાગણીઓમાં આવીને તે ખોટો નિર્ણય લે છે, જેના કારણે જીવનમાં ઘણી સમસ્યાઓ આવવા લાગે છે. ચંદ્ર વ્યક્તિના પ્રેમ જીવન (Love Life) ને પણ અસર કરે છે. આ સિવાય ચંદ્રને કારણે અનેક બીમારીઓ થવાની પણ સંભાવના છે.
જ્યારે ચંદ્ર નબળો હોય છે, ત્યારે લોકો ઘણીવાર ઉધરસ, શરદી, અસ્થમા અને અન્ય ફેફસા સંબંધિત સમસ્યાઓથી પીડાય છે. આ સિવાય ઊંઘ ન આવવી, માનસિક થાક, ધ્યાનનો અભાવ, તણાવ, હતાશા, એકાગ્રતાનો અભાવ, ડાયાબિટીસ વગેરે જેવી સમસ્યાઓ થાય છે. જો તમારો ચંદ્ર પણ નબળો છે, તો કેટલાક ઉપાયો તમારા માટે ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે.
જ્યોતિષની સલાહ પર સફેદ મોતી પહેરવાથી ચંદ્રની સ્થિતિ મજબૂત બને છે. આ સિવાય હાથમાં ચાંદીનું કડુ, વીંટી વગેરે પહેરવાથી પણ ચંદ્રમા બળવાન બને છે.
ચંદ્રને બળવાન બનાવવા માટે મહાદેવની પૂજા કરવી જોઈએ. શ્રાવણ મહિનામાં તમે ચંદ્રને મજબૂત કરવા માટે વિશેષ પુજા કરી શકો છો. આ દરમિયાન શ્રાવણના સોમવારથી વ્રત શરૂ કરીને 10 કે 54 સોમવારનું વ્રત રાખો. દર સોમવારે મહાદેવનો જલાભિષેક કરો અને શિવ ચાલીસાનો પાઠ કરો.
ઘરનો પાયો બનાવતી વખતે તેમાં થોડો ચાંદીનો ટુકડો દબાવવાથી ચંદ્ર મજબૂત બને છે. આ સિવાય તમે જે પલંગ પર સૂતા હોવ તેમાં તમે ચાંદીના ખીલા લગાવી શકો છો. તેના ઘણા ફાયદા પણ છે.
તમારા માતા-પિતાની સેવા કરવાથી અને તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવાથી તમારા ચંદ્ર અને સૂર્ય બંને બળવાન બને છે. શાસ્ત્રોમાં માતાનો ચંદ્ર સાથેનો સંબંધ અને પિતાનો સૂર્ય સાથેનો સંબંધ માનવામાં આવ્યો છે.
સોમવારે સફેદ વસ્ત્રો ધારણ કરો અને ચંદ્ર મંત્ર ઓમ ॐ श्रां श्रीं श्रौं स: चंद्राय नम: નો જાપ કરો. આ સિવાય ઘી, દહીં, સફેદ વસ્ત્રો, સફેદ મોતી, દૂધ કે ચાંદીથી ભરેલી ફૂલદાની કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો. આનાથી પણ ચંદ્ર મજબૂત બને છે.