Astro Tips for Shoes: પગરખાંથી જોડાયેલુ છે તમારું ભાગ્ય, જાણો પગરખાંથી જોડાયેલા જ્યોતિષ ઉપાય

|

Nov 18, 2021 | 1:14 PM

શનિની શુભ પ્રાપ્તિ માટેના તમામ ઉપાયોની સાથે તમે બુટ-ચપ્પલ સંબંધિત ઉપાય કરીને તેના દોષોને પણ દૂર કરી શકો છો અને શુભતા પ્રાપ્ત કરી શકો છો.

Astro Tips for Shoes: પગરખાંથી જોડાયેલુ છે તમારું ભાગ્ય, જાણો પગરખાંથી જોડાયેલા જ્યોતિષ ઉપાય
Astro Tips for Shoes

Follow us on

Astro Tips for Shoes: જ્યોતિષ (Jyotish) શાસ્ત્ર અનુસાર જીવન સાથે જોડાયેલી તમામ બાબતોનો સંબંધ નવગ્રહો સાથે છે. જો પગમાં પહેરવામાં આવતા બુટ-ચપ્પલની વાત કરીએ તો તેનો સંબંધ શનિ (Shani) સાથે જોડાયેલો જોવા મળે છે. તેનું નામ આવતાની સાથે જ લોકો ઘણી વાર સંવેદના અનુભવવા લાગે છે. શનિદેવ (Shanidev) નો ઉલ્લેખ થતાં જ લોકોને કોઈ અનિષ્ટ થવાની સંભાવનાનો ડર લાગવા લાગે છે. જો કે શનિ દરેક માટે હંમેશા પરેશાન કરતો નથી.

જે વ્યક્તિ પર શનિદેવ દયાળુ બને છે, તેને જીવન સંબંધિત તમામ સુખ અને સંપત્તિ પ્રાપ્ત થાય છે. ઉલટું, તેનાથી સંબંધિત ખામીઓ જીવનમાં બધી પરેશાનીઓનું કારણ બને છે. આવી સ્થિતિમાં શનિની શુભ પ્રાપ્તિ માટેના તમામ ઉપાયોની સાથે તમે બુટ-ચપ્પલ સંબંધિત ઉપાય કરીને તેના દોષોને પણ દૂર કરી શકો છો અને શુભતા પ્રાપ્ત કરી શકો છો.

  1. વાસ્તુ અનુસાર જૂતા અને ચપ્પલને ઘરમાં ક્યારેય પણ અહીં-ત્યાં ન ફેંકવા જોઈએ. આમ કરવાથી તમારા જીવનમાં મુશ્કેલીઓ વધે છે અને મન અસ્વસ્થ રહે છે. વાસ્તુ અનુસાર દક્ષિણ, દક્ષિણ-પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ, પશ્ચિમ દિશામાં બંધ રેકમાં શૂઝ રાખવા હંમેશા શુભ હોય છે.
  2. વાસ્તુ અનુસાર, પગરખાં અને ચપ્પલ ક્યારેય ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં, ઘરના મુખ્ય દરવાજાની સામે, બ્રહ્મસ્થાનના ખૂણામાં, રસોડા અને સીડીઓમાં ન રાખવા જોઈએ. આ જગ્યાએ ન તો ચપ્પલ ઉતારો અને ન તો અહીં ચંપલ-ચપ્પલ રાખવા માટે અલમારી બનાવો.
  3. વાસ્તુ અનુસાર ઘરની બહાર પહેરેલા ચપ્પલ અને શૂઝને ઘરમાં ક્યારેય ન પહેરવા જોઈએ. આમ કરવાથી જૂતા અને ચપ્પલની સાથે બહારની માટી સાથે નકારાત્મક ઉર્જા પણ પ્રવેશ કરે છે. જેના કારણે જીવન સંબંધિત તમામ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. માત્ર સારા નસીબ જ નહીં, સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ઘરમાં બહાર પહેરેલા ચપ્પલ અને શૂઝનો ઉપયોગ ન કરવો જોઈએ.
  4. જો તમારી કુંડળીમાં શનિ અશુભ પરિણામ આપી રહ્યો હોય તો નોકરી-ધંધાના સ્થળે જતી વખતે ફાટેલા ચપ્પલ કે ચંપલ ન પહેરવા જોઈએ. જો તમે આ નિયમનું ધ્યાન નહીં રાખો તો તમારે આ દિશામાં નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે.
  5. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈને પણ જૂતા કે ચપ્પલ ભેટમાં ન આપો. ખાસ કરીને જ્યારે તમે શનિના દોષથી પ્રભાવિત હોવ તો તેને ભૂલીને પણ આવી ભૂલ ન કરો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

આ પણ વાંચો: Sydney Dialogue : ખોટા લોકોના હાથમાં ના જાય, બરબાદ થઈ જશે યુવાનો, ક્રિપ્ટોકરન્સી પર ચિંતા વ્યક્ત કરતા PM મોદી

આ પણ વાંચો: અલી અબ્બાસ ઝફરની ક્રાઈમ-થ્રિલર ફિલ્મમાં શાહિદ કપૂર સાથે કેટરીના કૈફ જોવા મળી શકે છે

Published On - 1:12 pm, Thu, 18 November 21

Next Article