
જો તમારી પાસે 19 નવેમ્બર શનિવારના રોજ બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય તો તેને અગાઉથી પતાવી દેજો કારણ કે આ દિવસે દેશભરની બેંકિંગ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સહીત દેશની બેંકોમાં 19 નવેમ્બરે દેશભરની બેંકોમાં હડતાળ પડી શકે છે. ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA) એ 19 નવેમ્બરે એક દિવસીય હડતાળનું આહ્વાન કર્યું છે.આ માહિતીના અભાવે તે બેંક સુધી પહોંચે છે અને તેનું મહત્વનું કામ અટકી જાય છે. આવી સ્થિતિમાં, જો તમે આ સમસ્યાથી બચવા માંગો છો, તો જાણી લો કે નવેમ્બર મહિનામાં બેંક કુલ 10 દિવસ માટે બંધ રહેવાની છે હડતાલ બાદ વધુ એક દિવસ કામકાજ પ્રભાવિત થશે.
હડતાલને કારણે આ દિવસે એટીએમ સહિત તમામ બેંકિંગ સેવાઓ પ્રભાવિત થશે. જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડા (BoB) એ સ્ટોક એક્સચેન્જોને મોકલેલી માહિતીમાં જણાવ્યું હતું કે, “ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશનના જનરલ સેક્રેટરીએ ઈન્ડિયન બેંક્સ એસોસિએશનને હડતાળની નોટિસ આપી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે AIBEAના સભ્યોએ તેમની માંગણીઓના સમર્થનમાં 19 નવેમ્બર 2021ના રોજ હડતાળ પર ઉતરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
બેંકે કહ્યું કે હડતાલના દિવસે બેંકની શાખાઓ અને કાર્યાલયોમાં કામ ચાલુ રાખવા માટે તે જરૂરી પગલાં લઈ રહી છે. જો કે, જો હડતાળ થાય તો તે દિવસે બેંકિંગ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે.
ઑક્ટોબરની શરૂઆતમાં AIBEAના જનરલ સેક્રેટરી સીએચ વેંકટચલમે એક નિવેદનમાં કહ્યું હતું કે, “યુનિયનના સભ્યો યુનિયનમાં કાર્યરત બેંકરોની લક્ષિત ઉત્પીડનના વિરોધમાં હડતાળ પર જશે. તેમણે કહ્યું હતું કે, “તાજેતરમાં આવા બેંકરો પર હુમલાઓ વધ્યા છે એટલું જ નહીં પરંતુ તેમની સામે લેવામાં આવતા તમામ પગલાઓમાં સમાનતા છે. આ હુમલાઓમાં એક ષડયંત્ર છે. AIBEA ના સ્તરે આ હુમલાઓનો પ્રતિકાર કરવો, બદલો લેવો અને તેનો સામનો કરવો પડશે.”
વેંકટચલમ દાવો કરે છે કે AIBEA યુનિયનના સભ્ય બેંકરોને તાજેતરમાં સોનાલી બેંક, MUFG બેંક, ફેડરલ બેંક અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ સહિતની ઘણી બેંકોમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે અથવા છટણી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે 3,300 થી વધુ ક્લાર્ક કર્મચારીઓને એક સ્ટેશનથી બીજા સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે જે દ્વિપક્ષીય કરાર અને બેંક-સ્તરના કરારનું ઉલ્લંઘન છે.
Published On - 7:07 am, Wed, 9 November 22