આ નવવિવાહિત દંપત્તીએ 7 ફેરાના 7 સંકલ્પ લીધા બાદ લીધો એવો 8મો સંકલ્પ કે તમામ ગ્રામજનોએ આપ્યા તેમને લાંબા આયુષ્યના આશિર્વાદ

|

Feb 10, 2019 | 9:20 AM

રાજસ્થાનમાં અલવર શહેરની નજીક દાદર ગામના એક નવવિવાહિત દંપત્તીએ વિવાહ ઉત્સવ દરમિયાન સાત ફેરા બાદ નેત્રદાનનો આઠમો સંકલ્પ લીધો. શનિવારે જ્યારે આ યુવતીની વિદાય થઈ ત્યારે નવ વિવાહિત દંપત્તીએ નેત્રદાનનો સંકલ્પ કર્યો. આ કપલની આ પહેલને માત્ર આ ગામના જ નહીં પરંતુ સમગ્ર જિલ્લાના લોકોએ બિરદાવી. લગ્ન બાદ દુલ્હા દુલ્હન માટે તમામ લોકોએ લાંબા આયુષ્યની […]

આ નવવિવાહિત દંપત્તીએ 7 ફેરાના 7 સંકલ્પ લીધા બાદ લીધો એવો 8મો સંકલ્પ કે તમામ ગ્રામજનોએ આપ્યા તેમને લાંબા આયુષ્યના આશિર્વાદ

Follow us on

રાજસ્થાનમાં અલવર શહેરની નજીક દાદર ગામના એક નવવિવાહિત દંપત્તીએ વિવાહ ઉત્સવ દરમિયાન સાત ફેરા બાદ નેત્રદાનનો આઠમો સંકલ્પ લીધો.

શનિવારે જ્યારે આ યુવતીની વિદાય થઈ ત્યારે નવ વિવાહિત દંપત્તીએ નેત્રદાનનો સંકલ્પ કર્યો.

આ કપલની આ પહેલને માત્ર આ ગામના જ નહીં પરંતુ સમગ્ર જિલ્લાના લોકોએ બિરદાવી. લગ્ન બાદ દુલ્હા દુલ્હન માટે તમામ લોકોએ લાંબા આયુષ્યની કામના કરી.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

ખુદનપુરી નિવાસી અનિલ કુમાર તેમજ અલવર શહેરના દાદર ગામ નિવાસી અંજૂ વર્માએ લગ્નને ખાસ બનાવવા અને સામાન્ય લોકોને નેત્રદાનનું મહત્ત્વ સમજાવવા આ પ્રયાસ હાથ ધર્યો.

TV9 Gujarati

 

દુલ્હા અનિલનું કહેવું છે કે આજકાલ હર કોઈ પોતાના લગ્નને ખાસ બનાવવા કંઈક નવુ કામ કર્યા કરે છે. હું પણ લગ્નને યાદગાર બનાવવા માગતો હતો. અને એટલે નેત્રદાનનો વિચાર આવ્યો.

નેત્રદાન કરવા ગયા મહિને આઈ બેંક રાજસ્થાનનો સંપર્ક કર્યો. તેમનું કહેવું હતું કે તેઓ દેહદાન કરવા માગતા હતા પરંતુ અલવરમાં મેડિકલ કોલેજમાં સુવિધા ન હોવાના કારણે તેમનું આ સપનુ અધૂરું રહી ગયું અને ત્યારબાદ નેત્રદાનનો વિચાર આવ્યો. સૌથી ખાસ વાત તો એ રહી કે આ અંગે દુલ્હા-દુલ્હને તેમના પરિવારજનોને પણ નહોતું કહ્યું.

ફેરા ફરતી વખતે જ રાજસ્થાન આઈ બેંક અલવર શાખાના કોર્ડિનેટર હર્ષકુમાર શર્માએ તેમનો સંકલ્પપત્ર ભરાવ્યો. આ સંકલ્પપત્ર પર 2 સાક્ષીઓની સહી લીધી અને આઈ બેંકને મોકલી આપ્યો.

દુલ્હા અનિલકુમાર દુકાન ધરાવે છે અને બીકોમ બાદ ટેક્સટાઈલ ડિઝાઈનિંગમાં ડિપ્લોમા કર્યું છે જ્યારે પત્ની અંજૂએ 12મા ધોરણ સુધી અભ્યાસ કરેલો છે.

[yop_poll id=1273]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article