મહેસાણામાં અર્બુદા સેવા સમતિનિ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક પર પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન વિપુલ ચૌધરીએ પાટીદાર સંસ્થાઓ પર પ્રહાર કર્યા હતા. તેઓએ બેઠકમાં કહ્યુ હતુ કે, પાટીદાર સંસ્થાઓ ધનાઢ્યોની થઈ ચૂકી છે. સંસ્થાઓના બંધારણમાં જ લખ્યુ છે કે, જે દાન આપશે એ જ મંડળમાં રહી શકશે. અમારા બંધારણમાં અમારી પ્રાથમિક સેવા અને સંસ્કાર છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છીએ, અમારી એવી સમજણ છે કે, અમારી પાસે વધારે પૈસા નથી અને સમાજમાં વધારે કરોડપતિ લોકો નથી.
પાટીદાર સમાજ પણ છેલ્લા એક બે દાયકાથી કરોડપતિઓ થયા છે. એક બે દાયકાથી ધન આવ્યુ હોય તો ધનનો પ્રવાહ આજે સમાજમાં વધારે છે. અથવાતો સેવાનો અથવા કાર્યકરોનો પ્રભાવ ઓછો છે. મહેસાણામાં અર્બુદા સેવા સમિતિની બેઠક વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયો હતો.