22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહાત્સોવની ઉજવણી થવાની છે. જેના પગલે દેશ રામમય બની ગયો છે. ત્યારે સુરતના કાપડ ઉદ્યોગમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતના કાપડ ઉદ્યોગમાં રામ નામની લહેર જોવા મળી રહી છે. સુરતના વેપારીને 2 લાખ રામ ટોપી અને 2 લાખ ધ્વજાનો ઓર્ડર મળ્યો છે.
તમને જણાવી દઈએ કે, વડાપ્રધાને જે રામ ટોપી પહેરી હતી તે સુરતમાં જ તૈયાર થઈ હતી અને ત્યાંજ અન્ય રામ ટોપી તૈયાર થઈ રહી છે. ખાસ ફાઈબરમાંથી આ ટોપીઓ તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારે સુરતને રામ ટોપીના નિર્માણનો ઓર્ડર મળતાં સુરતના કાપડ ઉદ્યોગમાં દિવાળી જેવો માહોલ છે.
Published On - 7:04 pm, Thu, 11 January 24