અમદાવાદમાં નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થયા બાદ રણજિત બિલ્ડકોન (Ranjit buildcon) કંપની વિવાદમાં આવી છે. રાજકોટમાં (Rajkot) રણજિત બિલ્ડકોન દ્વારા ચાર બ્રિજ તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે. જેમાં કાલાવડ રોડ પર, નાનામૌવા ચોક, કેકેવી હોલ તથા રામાપીર ચોકમાં બ્રિજનું કામ ચાલુ છે. જે પેટે ૭૦ કરોડ રૂપિયા એડવાન્સ ચુકવવામાં આવ્યા છે. આમ છતાં કંપની દ્વારા 50 ટકા કામ પણ પૂર્ણ કરાયું નથી.
આ બાદ રાજકોટ મનપાએ કંપનીને શૉ-કોઝ નોટિસ આપીને કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે, તે અંગે તેનો ખુલાસો પૂછવામાં આવ્યો છે. આ બ્રિજના ધીમા કામને પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
જણાવી દઈએ કે અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ પર નવા બની રહેલા બ્રિજનો વચ્ચેનો ભાગ તૂટી પડ્યો હતો. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. બ્રિજ નીચે કોઈ હાજર ન હોવાથી કોઈને નુક્સાન નથી પહોંચ્યું. જોકે જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ઘટના અંગે ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે કહ્યું કે- નિર્માણાધીન બ્રિજ પર 10થી 12 મજૂરો કામ કરતા હતા. ત્યારે અચાનક જ બ્રિજનો સ્લેબ તૂટી પડતા નીચે ઉતરી ગયા હતા. જણાવી દઈએ કે ઔડા દ્વારા રણજિત બિલ્ડકોનને (Ranjit Buildcon) બ્રિજનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જ્યારે DELF કન્સલ્ટીંગ એન્જિનિયર્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમીટેડ કંપની બ્રિજની ડિઝાઈન તૈયાર કરી હતી.
આ પણ વાંચો: પાકિસ્તાનમાં કામ કરતી વિદેશી કંપનીને સેટેલાઈટ મેપિંગનું કામ આપવાનો AMC નો પ્લાન! ડેટાની સુરક્ષા પર સવાલ
આ પણ વાંચો: આ ચોરને વૃદ્ધ મહિલાનું પર્સ ચોરવુ ભારે પડ્યુ ! લોકોએ રસ્તા વચ્ચે જ કરી નાખી ધોલાઈ, જુઓ VIDEO