Rajkot: ગોલાના વેપારીઓેને ત્યાં ફૂડ વિભાગના દરોડા, માવા, રબડીના જથ્થાનો કરાયો નાશ

|

May 24, 2022 | 10:01 PM

રાજકોટવાસીઓ ગોલા ખાતા પહેલા ચેતી જજો. તમે જે ગોલા ખાઈ રહ્યા તે વાસી માવા અને રાબડીથી બની રહ્યા છે. રાજકોટમાં મનપાના આરોગ્ય વિભાગે ગોલાના વેપારીઓના ત્યાં તવાઈ બોલાવતા વાસી માવા અને રાબડીથી ગોલા બનતા હોવાનું સામે આવ્યું છે.

Rajkot: રાજકોટવાસીઓ ગોલા ખાતા પહેલા ચેતી જજો. તમે જે ગોલા ખાઈ રહ્યા તે વાસી માવા અને રાબડીથી બની રહ્યા છે. રાજકોટમાં મનપાના આરોગ્ય વિભાગે (Department of Health) ગોલાના વેપારીઓના ત્યાં તવાઈ બોલાવતા વાસી માવા અને રાબડીથી ગોલા બનતા હોવાનું સામે આવ્યું છે. આઇસગોલાનું વેચાણ કરતી આઝાદ હિન્દ, રામ ઔર શ્યામ, રામકૃપા ગોલાવાલા સહિત 5 ગોલાના ધંધાર્થીના ત્યાં તપાસ હાથ ધરાઈ હતી. જયાં બિન આરોગ્યપ્રદ સ્થિતિમાં સંગ્રહ કરેલા 83 કિલો વાસી માવા અને રબડીનો જથ્થો નાશ કરાયો હતો. બીજી તરફ 20 ફૂડ બિઝનેસ ઓપરેટર દ્રારા વેચાણ થતા ઠંડાપીણા, આઇસ્ક્રીમ, પ્રિપર્ડ ફૂડ તથા ઉપયોગમાં લેવાતા ખાદ્ય તેલ વગેરેના 26 નમૂનાની સ્થળ પર ચકાસણી કરાઈ હતી. જેમાં 10 પેઢીને લાયસન્સ અંગે નોટિસ આપી હતી. તેમજ પેડક રોડ પર રવિરાજ રેફ્રીજરેશનમાંથી વિમલ બ્રાન્ડ કાજુ ગુલકંદ આઇસ્ક્રીમનું 100 ML પેકેટનો નમૂનો લેવાયો હતો.

Naresh Patelના રાજકીય પ્રવેશની કહાનીમાં ફરી ટ્વીસ્ટ

ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકીય પ્રવેશને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે, છેલ્લી વિગત પ્રમાણે નરેશ પટેલ કોંગ્રેસના હાઇકમાન્ડ સાથે અંતિમ તબક્કાની ચર્ચાઓ કરી રહ્યા છે. જોકે આ બધાની વચ્ચે નરેશ પટેલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરતા ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે. નરેશ પટેલ હાલમાં જર્મનીની મુલાકાતે હતા, ત્યાંથી તેઓ સીધા જ ઉત્તર પ્રદેશમાં આનંદીબેન પટેલને મળવા પહોંચ્યા હતા અને ત્યાંથી આજે તેઓ રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા. સૂત્રો પાસેથી જે માહિતી મળી છે તે પ્રમાણે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ તે પહેલાની આ ખૂબ જ મહત્ત્વની મુલાકાત ગણી શકાય અને આ મુલાકાતથી તેમની રાજકીય એન્ટ્રીમાં નવો વળાંક આવી શકે છે.

Next Video