RAJKOT : રાજપરિવાર મિલકત વારસાઈ વિવાદ કેસમાં આજે કોર્ટમાં સુનાવણી થશે

|

Jul 22, 2021 | 9:49 AM

રાજપરિવારની માધાપરની 575 એકર અને સરધારની 2 હેક્ટરની જમીનની વારસાઈ નોંધને લઈને રાજપરિવારમાં તકરાર થયો છે. માંધાતાસિંહ, માતા તેમજ અન્ય બે બહેનો સામે બહેન અંબાલિકાદેવીએ કોર્ટમાં અરજી કરી છે.

RAJKOT : રાજકોટના રાજપરિવાર (Royal Family Of Rajkot) માં મિલકત વારસાઈ વિવાદ  (Property Dispute) કેસમાં આજે કોર્ટમાં સુનાવણી થશે. રાજપરિવારની માધાપરની 575 એકર અને સરધારની 2 હેક્ટરની જમીનની વારસાઈ નોંધને લઈને રાજપરિવારમાં તકરાર થયો છે. માંધાતાસિંહ, માતા તેમજ અન્ય બે બહેનો સામે બહેન અંબાલિકાદેવીએ કોર્ટમાં અરજી કરી છે. અરજદાર માતાને મળવા ગયા હતા ત્યારે ભાઈએ કહ્યું કે પેલેસરોડ પર આશાપુરા મંદિરની જગ્યા વડીલોપાર્જિત છે, જેની તેઓ સારસંભાળ કરે છે. આ મંદિરમાં ભવિષ્યમાં સહમાલિક તરીકે સહીની જરૂર પડે અને કાયદાકીય અડચણ ન થાય તે માટે સમજાવીને મંદિરની જગ્યા માટે રીવીઝ ડીડ કરવા કહ્યું. જો કે બહેન અંબાલિકાદેવીને બાદમાં ખ્યાલ આવ્યો કે મંદિરની ડીડના નામે બધી જ મિલકતો ગેરરજૂઆતથી લખાવી લેવામાં આવી છે. આ સમગ્ર વિવાદ મામલે આજે કોર્ટમાં સુનાવણી થશે.

Next Video