Junagadh: બ્રેઈન ડેડ વૃદ્ધના પરિવારે કર્યું અંગદાન, મૃતકના અંગોથી અન્ય દર્દીઓને મળ્યું નવજીવન

|

May 26, 2022 | 5:16 PM

જૂનાગઢમાં 66 વર્ષીય વૃદ્ધનું બ્રેઈન ડેડ થતા તેના પરિવાર દ્વારા કીડની અને લીવરનું દાન કરી સમાજને એક ઉત્તમ ઊદાહરણ આપ્યું છે. જૂનાગઢના વંથલી તાલુકાના રવની ગામના 66 વર્ષીય મગનભાઈ ગજેરા પોતાના ઘરે પડી જતા માથાના ભાગે હેમરેજ થયું હતું.

Junagadh: જૂનાગઢમાં 66 વર્ષીય વૃદ્ધનું બ્રેઈન ડેડ (Brain Dead) થતા તેના પરિવાર દ્વારા કીડની અને લીવરનું દાન (Organ donation) કરી સમાજને એક ઉત્તમ ઊદાહરણ આપ્યું છે. જૂનાગઢના વંથલી તાલુકાના રવની ગામના 66 વર્ષીય મગનભાઈ ગજેરા પોતાના ઘરે પડી જતા માથાના ભાગે હેમરેજ થયું હતું. મેડિકલ ટ્રિટમેન્ટ દરમિયાન તેઓ બ્રેઈન ડેડ જણાઈ આવતા તેમને મૃત જાહેર કરાયા હતા. આ પરિસ્થિતિમાં મૃતકના પરિવારજનોએ તેમના અંગદાન કરવાનો નિર્ણય લીધો. મૃતકનાના પુત્રની સહમતિ બાદ તેમના કિડની, લીવરનું દાન કરવામાં આવ્યું હતું. તપાસ કરતા કિડની અને લીવરની અમદાવાદ હોસ્પિટલમાં જરૂરિયાત હોવાનું જણાઈ આવ્યું હતું. તેથી ડોક્ટરનો સંપર્ક કરી મૃતકના અંગોને ગ્રીન કોરિડોર મારફત કેશોદ એરપોર્ટ અને ત્યાંથી એર એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદ મોકલાયા હતા. મૃત્યુ બાદ અન્ય લોકોને નવજીવન મળે તે માટે અંગદાન કરવાની પ્રેરણા સમાજને ગજેરા પરિવારે પુરી પાડી છે.

જંગલમાં રહેતા માલધારીઓના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રીય વન પ્રધાન ભૂપેન્દ્ર યાદવની હૈયાધારણા

ગીર જંગલમાં રહેતા માલધારીઓની સમસ્યા અંગે સરકાર ગંભીરતાથી વિચાર કરશે. સાસણની મુલાકાતે આવેલા કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાને માલધારીઓને આ ખાતરી આપી છે. કેન્દ્રીય વન પ્રધાન ભૂપેન્દ્ર યાદવની મુલાકાત સમયે માલધારી સમાજના લોકોએ અન્ય મંત્રીઓ સાથે બેઠક યોજી હતી અને તેમની સમસ્યા અંગે રજૂઆત કરી હતી. માલધારીઓનું કહેવું છે કે તેઓ જંગલ છોડી રેવન્યુ વિસ્તારમાં રહેવા માટે માંગણી કરી રહ્યા છે. જેથી સરકાર માલધારી સમાજના માલ, ઢોર અને બાળકો માટે જમીન ફાળવણી કરે તેવી માંગણી કરી છે. તમને જણાવી દઈએ કે, માલધારીની વિવિધ સમસ્યાને લઇ સાંસદ પરિમલ નથવાણીએ પણ ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું કે માલધારીઓની સમસ્યા અંગે ચર્ચા કરી સરકારમાં રજૂઆત કરવામાં આવશે.

Next Video