Gujarati Video : સુરતમાં રોગચાળાએ હાહાકાર મચાવ્યો, એક જ દિવસમાં 2 લોકોના મોત

|

Aug 18, 2023 | 9:51 PM

સુરતના પાંડેસરામાં એક વૃદ્ધના મોત બાદ અલથાણમાં એક યુવકનું મોત થયું છે. 22 વર્ષીય રિતેશ નામના યુવકનું તાવના કારણે મોત થયું છે. તે ફક્ત 3 દિવસથી જ બિમાર હતો. ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી.

Surat : સુરતમાં રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે. બેકાબૂ બનેલો રોગચાળો એક જ દિવસમાં બે લોકોને ભરખી ગયો છે. આ સાથે જ સિઝનનો કુલ મૃત્યુઆંક 29 પર પહોંચી ગયો છે. સુરતના પાંડેસરામાં એક વૃદ્ધના મોત બાદ અલથાણમાં એક યુવકનું મોત થયું છે.

આ પણ વાંચો Surat: મોંઘા નળની ચોરી કરતી ગેંગ ઝડપાઈ, આરોપી પાસેથી કિંમતી નળનો જથ્થો મળી આવ્યો,જુઓ Video

22 વર્ષીય રિતેશ નામના યુવકનું તાવના કારણે મોત થયું છે. તે ફક્ત 3 દિવસથી જ બિમાર હતો. ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. જોકે બાદમાં તેને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું છે. રોગચાળો જીવલેણ બનતાં હવે સુરતના આરોગ્ય તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video