ગાંધીનગરના અક્ષરધામમાં દિવાળી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. અક્ષરધામમાં 10 હજાર દીવડા એકસાથે પ્રગટાવવામાં આવ્યા છે. અક્ષરધામ મંદિર પરિસરમાં સુંદર લાઈટિંગનો નજારો મનમોહક હતો. તો એકસાથે પ્રગટાવેલા 10 હજાર દીવડાનો અલૌકિક નજારો જોવા મોટી સંખ્યામાં હરિભક્તો પરિવાર સાથે પહોંચ્યા છે.
આ પણ વાંચો કાળી ચૌદશે ગામ આખુ સ્મશાનમાં પહોંચે છે, દિવડા પ્રગટાવે છે અને કરે છે આરતી
અક્ષરધામમાં છેલ્લા 31 વર્ષથી દિવાળીની હજારો દીવડા પ્રગટાવીને શાનદાર ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ 10 હજાર દીવડા એકસાથે પ્રગટાવીને શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. હજારો હરિભક્તોએ દિવ્ય રોશનીથી ઝળહળતા અક્ષરધામનો સુંદર નજારો જોઈને ધન્યતા અનુભવી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો