પેટ્રોલ-ડીઝલમાં એક્સાઈઝ અને VAT ઘટાડવા બદલ નીતિન પટેલે PM મોદી અને CM ભુપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યા

ગઈકાલે 3 નવેમ્બરે દિવાળીના એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.

| Updated on: Nov 04, 2021 | 2:58 PM

GANDHINAGAR : પેટ્રોલ ડીઝલના ભાવમાં થયેલા ઘટાડા બદલ પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કેન્દ્ર અને રાજ્ય સરકારને અભિનંદન આપ્યા છે. નીતિન પટેલે ટ્વિટ કર્યુ કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 7 રૂપિયાનો ઘટાડો કરીને સરકારે કરોડો વાહનચાલકો, ટ્રાન્સપોર્ટરો, ખેડૂતો અને ઉદ્યોગકારોને રાહત આપી છે.

એક ટ્વીટમાં તેમણે લખ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારત સરકાર દ્વારા લેવાતી ડીઝલ પરની એક્સાઈઝ દડ્યુટીમાં 1 લીટરે 10 રૂપિયા અને પેટ્રોલ પરની એક્સાઈઝ દડ્યુટીમાં 1 લીટરે 5 રૂપિયાનો ઘટાડો કરેલ છે. જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. જેનો લાભ કરોડો વાહનચાલકો, ટ્રાન્સપોર્ટરો, ખેડૂતો અને ઉદ્યોગકારોને મળશે. આવો પ્રજાલક્ષી નિર્ણય કરવા બદલ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ખુબ ખુબ અભિનંદન.

તો રાજ્ય સરકારને ઉદ્દેશીને કરેલી બીજી ટ્વીટમાં તેમણે લખ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વવાળી ભારત સરકાર દ્વારા પેટ્રોલ – ડિઝલના ભાવમાં રાહત આપ્યાં બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા ભારત સરકાર ના ઘટાડા ઉપરાંત પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર રૂ. 7 તથા ડિઝલમાં પ્રતિ લીટર રૂ. 7 નો ઘટાડો કરી કરોડો વાહનચાલકો – ટ્રાન્સપોર્ટરો , ખેડૂતો અને ઉધોગકારોને રાહત આપી છે. તે બદલ અભિનંદન. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવમાં થયેલ ઘટાડાને કારણે ગુજરાતના વાહનચાલકોને પેટ્રોલમાં લિટરે રૂ.3.12 અને ડીઝલમાં લિટરે રૂ.17 ના ઘટાડાનો લાભ થશે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે 3 નવેમ્બરે દિવાળીના એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. કેન્દ્ર દ્વારા ભાવમાં ઘટાડા બાદ આજે 4 નવેમ્બરથી નવા ભાવ અમલમાં આવી ગયા છે.

કેન્દ્રએ પણ રાજ્યોને વેટ ઘટાડવાની અપીલ કરી હતી. આ પછી આસામે પહેલા વેટમાં ઘટાડો કર્યો. કેન્દ્રની અપીલની અસર બીજેપીની આગેવાની હેઠળના NDA શાસિત બાકીના રાજ્યો પર જોવા મળી હતી અને મોડી રાત સુધીમાં ગુજરાત સહીત કુલ 10 રાજ્યોએ વેટના દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. જેમાં ગુજરાત, ઉત્તરપ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, હરિયાણા, ગોવા, કર્ણાટક, આસામ, મણિપુર અને ત્રિપુરાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Diwali 2021 : PM મોદીએ ડયુટી દરમિયાન જીવ ગુમાવનારા જવાનોને આપી શ્રદ્ધાંજલિ, કહ્યું- નૌશેરાના સિંહોએ હંમેશા આપ્યો છે જડબાતોડ જવાબ

 

Follow Us:
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">