Chhotaudepur: સંખેડા નજીકથી પસાર થતી નદીના કિનારા ધોવાયા, મંદિરનો પાછળનો એક ભાગ થયો ધરાશાયી, જુઓ VIDEO

|

Jul 11, 2022 | 7:18 PM

છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને પગલે સંખેડા નજીકથી પસાર થતી ઉચ્છ નદીના કિનારા ધોવાઈ ગયા છે. સાથે જ નદી પરના કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેના પગલે સ્થાનિક લોકો નદીમાં ઉતરીને પાર કરવા મજબૂર બન્યા છે.

Chhotaudepur: છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને પગલે સંખેડા નજીકથી પસાર થતી ઉચ્છ નદીના કિનારા ધોવાઈ ગયા છે. સાથે જ નદી પરના કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેના પગલે સ્થાનિક લોકો નદીમાં ઉતરીને પાર કરવા મજબૂર બન્યા છે. સાથે જ કિનારા પર આવેલા મહાદેવ મંદિરનો પાછળનો ભાગ પણ ભારે વરસાદને પગલે ધરાશાયી થઈ ગયો છે. જિલ્લામાં તમામ નદીઓમાં ઘોડાપુર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સાથે જ ભારે વરસાદને પગલે ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે જેના પગલે ખેડૂતોને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

આગામી પાંચ દિવસ રહેશે અતિભારે

ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. નર્મદા, ભરૂચ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરતમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. તો અમદાવાદમાં પણ ભારે વરસાદ પડવાની આશંકા છે. રાજ્યમાં 15 જુલાઈ પછી વરસાદથી આંશિક રાહત મળી શકે છે. હવામાન વિભાગે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે. રાજ્ય સરકારે ભારે વરસાદની આગાહીને પગલે NDRF, SDRF અને સ્થાનિક તંત્રને સાવચેત રહેવા તાકીદ કરી છે. તો વધુ વરસાદ પડે ત્યારે નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને ત્વરિત સલામત સ્થળે ખસેડવા આદેશ કરાયો છે.

Next Video