દિવસેને દિવસે કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દર્દીઓને હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા સાથે જ ઓક્સિજનની પણ જરૂરિયાત વધતા અછત સર્જાઈ છે. આવા સમયે તાપીના વ્યારા ખાતે ઓક્સિજન ટ્રાન્ઝિટ કેમ્પ ચાલુ કરવામાં આવ્યો છે. પોષિક ચેરીટેબલ ટ્રસ્ટ અને વ્યારા મિત્ર મંડળ યુ.એસ.એનો સેવાયજ્ઞ છે. ઘરે સારવાર લેતા ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓને મફત ઓક્સિજન આપવામાં આવશે.