બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ઘટના કેનાલમાં ગાબડાં પડવાની સામે આવી છે. થરાદ તાલુકાના સેરાઉ નજીક કેનાલમાં ગાબડું સર્જાયું છે. નર્મદાની માઈનોર કેનાલમાં ગાબડું પડવાને લઈ વિસ્તારના ખેતરોમાં કેનાલના પાણી ફરી વળ્યા છે. જેને લઈ ખેડૂતોએ નુક્સાન વેઠવુ પડ્યુ છે.
માઈનોર કેનાલમાં ગાબડુ પડવાને લઈ આસપાસના ખેતરોમાં બે મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યા છે. સ્થાનિક ખેડૂતોના આક્ષેપ છે કે અનેકવાર નર્મદા ના અધિકારીઓને આ અંગે રજૂઆતો કરવામાં આવે છે. પરંતુ અધિકારીઓ આ અંગે સાંભળતા નથી અને ખેડૂતો પરેશાન બન્યા છે.