ભરૂચ : શુકલતીર્થના ભાતીગળ મેળામાં 25 લોકોને રેસ્ક્યુ કરાયા, વાવાઝોડ અને વરસાદમાં બેટ ઉપર ફસાયા હતા

|

Nov 26, 2023 | 5:40 PM

ભરૂચ : વાવાઝોડા સાથે કમોસમી વરસાદના કારણે 25 લોકો શુક્લતીર્થના ભાતીગળ મેળામાં ફસાઈ જતા રેસ્ક્યુ કરાયા હતા. મેળામાં મ્હાલવા શુકલતીર્થ બેટ પર અંદાજિત ૨૪૦ જેટલા લોકો તંબુ બાંધી રહ્યા હતા. વાતાવરણમાં અચાનક પલટો થવાને કારણે ભારે વરસાદ અને પવનને લોકોમાં ભય ફેલાયો હતો.

ભરૂચ : વાવાઝોડા સાથે કમોસમી વરસાદના કારણે 25 લોકો શુક્લતીર્થના ભાતીગળ મેળામાં ફસાઈ જતા રેસ્ક્યુ કરાયા હતા. મેળામાં મ્હાલવા શુકલતીર્થ બેટ પર અંદાજિત ૨૪૦ જેટલા લોકો તંબુ બાંધી રહ્યા હતા. વાતાવરણમાં અચાનક પલટો થવાને કારણે ભારે વરસાદ અને પવનને લોકોમાં ભય ફેલાયો હતો.

ધારાસભ્ય અરૂણસિંહ રાણાને મદદ માટે લોકો કોલ કરતા ફાયર બ્રિગેડ રવાના કરાયું હતું. ભરૂચ ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક બોટ મારફતે 25 જેટલા લોકોને ત્યાંથી સ્થળાંતર કરાવ્યું હતું આ લોકો બેટ ઉપર તંબુ બાંધી રહ્યા હતા. ૫ દિવસને મેલા દરમિયાન તંબુ બાંધી ઘણા લોકો ત્યાં રહે છે. અચાનક વાવાઝોડું અને વરસાદ આવતા લોકોમાં ભય ફેલાયો હતો.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

તંબુની આસપાસ પાણી ભરવા લગતા તંત્ર પાસે મદદ માંગવામાં આવી હતી. પોલીસ સબ ઇન્સ્પેકટર કિરણ ચૌધરીએ ટિમ સાથે નગરપાલિકાની મદદથી રેસ્ક્યુ કરી ફસાયેલા ૨૫ લોકો ને સલામત કિનારે ખસેડ્યા હતા.

આ પણ વાંચો : ગીર સોમનાથ વરસાદ : રાજ્યભરમાં કમોસમી વરસાદ વરસ્યો, તાલાલામાં બે કલાકમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ, જુઓ વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 12:20 pm, Sun, 26 November 23

Next Article