AHMEDABAD : કોરોના મૃત્યુસહાય મેળવવા માટે મદદ કરવા BJP કોર્પોરેટર પ્રકાશ ગુર્જરે કેમ્પ યોજ્યો

કેમ્પ અંગે કોર્પોરેટર પ્રકાશ ગુર્જરે કહ્યું કે ગઈકાલે રાત્રે જ અમારા વિસ્તારમાં આવા પરિવારજનોને જાણ કરી હતી કે સરકારે બતાવ્યાં પ્રમાણેના પુરાવા લઈને આવશો તો અમે ફોર્મ ભરવામાં મદદ કરીશું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 5:25 PM

AHMEDABAD : કોરોનાકાળમાં કોરોનાના કારણે મૃત્યુ પામનાર લોકોને 50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે.બાપુનગરમાં લોકોને મદદ કરવા માટે કોર્પોરેટર પ્રકાશ ગુર્જરે કેમ્પ યોજ્યો છે. કોર્પોરેટરે પોતાના જનસેવક કાર્યાલય પર કેમ્પ યોજ્યો.કોરોનામાં મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારજનોને સહાય માટે ફોર્મ ભરવામાં આવ્યાં. શહેરમાં આ માટે 7 મામલતદાર કચેરી પર વ્યવસ્થા કરવામાં આવી છે.કોર્પોરેટરે સહાય કેમ્પ યોજી સરકારી કામગીરી સરળ કરવા અને લોકોને મદદ કરવાનો પ્રયાસ કર્યો છે.

કેમ્પ અંગે કોર્પોરેટર પ્રકાશ ગુર્જરે કહ્યું કે ગઈકાલે રાત્રે જ અમારા વિસ્તારમાં આવા પરિવારજનોને જાણ કરી હતી કે સરકારે બતાવ્યાં પ્રમાણેના પુરાવા લઈને આવશો તો અમે ફોર્મ ભરવામાં મદદ કરીશું. તેમણે કહ્યું કે આ કેમ્પમાં જે લોકો મદદ કરી રહ્યાં છે એ પણ અમારા વિસ્તારના સેવાભાવી યુવકો જ છે, જે ફોર્મ ભરવામાં અને નોટરી કરી આપવામાં મદદ કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે કોરોના મૃત્યુસહાયનું નવું ફોર્મ જાહેર કરવાની સાથે મહત્વનો આદેશ કર્યો છે. 25 નવેમ્બરની મોડી રાત્રે આદેશ જાહેર કરવામાં આવ્યો છે કે કોરોના મૃતકના પરિવારજનોને અરજીના ફક્ત 10 દિવસમાં સહાય ચૂકવી દેવામાં આવે. મહેસૂલ વિભાગે રાજ્યના તમામ કલેક્ટર સહિત સબંધિત સરકારી વિભાગોને આપેલા આદેશમાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી સહાય આપવાનું ઠરાવ્યું છે. આદેશની સાથે એક ફોર્મ પણ જાહેર કરવામાં આવ્યું છે.

આ કેમ્પનો લાભ લઇ રહેલા સ્થાનિકોએ કહ્યું કે અમને ખબર ન હતી કે ફોર્મ કેવી રીતે ભરવું, પણ કોર્પોરેટર પ્રકાશ ગુર્જરના કાર્યાલયમાં તમામ જાણકારી આપવામાં આવી.

આ ફોર્મમાં માગવામાં આવેલી વિગતો મેળવીને માત્ર 10 દિવસમાં સહાયની ચૂકવણી કરવા જણાવાયું છે. સહાય માટે જાહેર કરાયેલા નવા ફોર્મમાં અરજદારના નામ, મોબાઇલ નંબર, આધાર નંબર, કોરોના મૃતક સાથેના સંબંધ દર્શાવવાનો રહેશે.એકથી વધુ વારસદારના કિસ્સામાં અન્ય વારસદારની સંમતિનું સોગંદનામું અને બેન્ક ખાતાની વિગતો માગવામાં આવી છે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">