Ahmedabad: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આ વર્ષે 15મી ઓગસ્ટના રોજ આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા ફરકાવવા માટેનું આહવાન કર્યું છે. જે અંતર્ગત સુરત ખાતે તિરંગા બની રહ્યા છે. બીજી તરફ અમદાવાદ મહાનગરપાલિકા પણ 5 કરોડ રૂપિયાના તિરંગાની ખરીદી કરશે. અમદાવાદ મનપા શહેરમાં 22 લાખ તિરંગાનું વેચાણ કરશે. મનપાએ 25 રૂપિયામાં એક તિરંગો વેચવાનું નક્કી કર્યું છે.
ICUના મુદ્દે 40,000 ડોક્ટર ઉતરશે હડતાળ ઉપર
આઈસીયુ ગ્રાઉન્ડ (ICU) ફ્લોર પર રાખવા બાબતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત બ્રાન્ચે હડતાળનું (Strike) શસ્ત્ર ઉગામ્યું છે. જે અંતર્ગત ગુજરાતની ખાનગી હોસ્પિટલોના લગભગ 40 હજારથી વધુ ડોક્ટરો હડતાળ પર ઉતરશે. જેના કારણે રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલમાં લોકોને સારવાર નહીં મળી શકે. ખાનગી હોસ્પિટલોએ ઓપીડી અને ઇમરજન્સી સેવા પણ બંધ રાખવાની જાહેરાત કરી છે. આથી શુક્રવારે ગુજરાતના દર્દીઓએ ખાનગી હોસ્પિટલના બદલે સરકારી હોસ્પિટલમાં જ સારવાર માટે જવું પડશે. જો કે ડોક્ટરોના જણાવ્યા મુજબ જે પણ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે અને તેમની રેગ્યુલર વિઝીટ કરવાની હોય છે તે ચાલુ રહેશે. પરંતુ નવા કેસો અથવા નવા કોઈ દર્દીને દાખલ નહીં કરવામાં આવે. તેમજ અન્ય સારવાર પણ બંધ રાખવામાં આવશે. ખાનગી હોસ્પિટલોના તબીબોની હડતાળના પગલે 30 હજારથી વધુ સર્જરી અટકી જશે.
Published On - 7:28 am, Fri, 22 July 22