ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસ (Case) માં સતત વધારો થઈ રહ્યો છે . જેમાં 18 જુલાઇના રોજ કોરોનાના નવા 596 કેસ નોંધાયા છે. જયારે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 4768એ પહોંચ્યો છે. આજે નોંધાયેલા નવા કેસની વિગતો જોઇએ તો અમદાવાદમાં 208, સુરતમાં 74, વડોદરામાં 54, મહેસાણામાં 39, બનાસકાંઠામાં 37, ગાંધીનગરમાં 37, કચ્છમાં 32, રાજકોટ 17, ભાવનગરમાં 14, આણંદમાં 12, વલસાડમાં 10, મોરબીમાં 08, અમેરલીમાં 06, દેવભૂમી દ્વારકામાં 06, નવસારીમાં 06, સાબરકાંઠામાં 05, અરવલ્લીમાં 04, પંચમહાલમાં 04, પોરબંદરમાં 04, ભરૂચમાં 03, ગીર સોમનાથમાં 03, સુરેન્દ્રનગરમાં 03, ખેડામાં 02, પાટણમાં 02, તાપીમાં 02 અને દાહોદમાં 01 કોસ નોંધાયો છે. રાજ્યમાં કોરોના રિકવરી રેટ 98.75 ટકાએ પહોંચ્યો છે. તેમજ આજે કોરોનાથી 626 દર્દીઓ સાજા થયા છે.
કોરોનાના કેસ વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપીસેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.
અમદાવાદ બાદ સુરતમાં પણ કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા છે. હાલમાં જે રીતે રોજે રોજે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેના પરથી ચોથી લહેરનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં વર્તમાન પરિસ્થિતિ એટલે કે કોરોના સંક્રમણ પીકઅપ મોડમાં આવી જતા નવી સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયું છે. નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ફરીથી વોર્ડ, ઓપીડી અને સારવારના સાધનો સહિત જરૂરી વ્યવસ્થાઓ સાથે તેને પણ એક્ટિવ કરી દેવામાં આવી છે.
Published On - 10:08 pm, Mon, 18 July 22