કુંડળીમાં ઘણી વાર એવા પ્રકારના યોગ બનતા હોય છે કે જે તમને સમજવા મુશ્કેલ થઈ જતા હોય છે કેમકે જ્યોતિષની ભાષા અને ગણિત સીધી રીતે સમજમાં આવતું નથી. આવા સમયમાં હવે જ્યારે તમને આવા યોગ વિશે સરળતાથી સમજ મળી શકે અને તે પણ વીડિયોના માધ્યમથી તો કેવું રહેશે?
આ જ પ્રયાસ ટીવી 9 ડિજિટલ દ્વારા કરવામાં આવ્યો છે કે જે તમને આપશે કુંડળીમાં બનતા તમામ પ્રકારના યોગ વિશેની સમજ સૌથી સરળ ભાષામા. કુંડળીમાં બનતા યોગ વિશેની સ્પેશ્યલ સિરીઝમાં વાત આજે ‘ઈન્દ્રયોગ’ નામના યોગ વિશેની કરવામાં આવી.
જાણીતા જ્યોતિષ વિદ્ ચેતન પટેલ દ્વારા ટીવી 9 ડિજિટલના દર્શકોને માહિતિ પુરી પાડવામાં આવી હતી કે આ યોગ છે શું? અને કુંડળીમાં બને છે તો તે અસર શું કરે છે? આ સિવાય વીડિયોમાં આપ જાણી શકશો રામાયણને લઈ ખાસ વિગતો અને આ મહાગ્રંથ પાછળની એ પૌરાણિક કથા તે જે કદાચ આપે સાંભળી નહી હોય. આજના એપીસોડમાં આપને ભગવાન કૃષ્ણ વિશેની રસપ્રદ વિગતો પણ પુરી પાડવામાં આવી છે, સાથે જગન્નાથજી જોડે સંકળાયેલી રહસ્યમય વાત પણ અમે તમને જણાવીશું
આ તમામ પ્રકારની વિગતો જાણવા માટે જુઓ વીડિયો અને અગર આપ પાછળના એપીસોડ જોવા માંગતા હશો તો ટીવી 9ના ફેસબુક પેજ તેમજ યુ ટ્યુબ પર જઈને પણ જોઈ શકાશે.
Published On - 2:27 pm, Thu, 7 December 23